મહાપાલિકાના પટાંગણમાં જ પાંચ જેટલા વૃક્ષોનું નિકંદન...!!

  • January 17, 2023 11:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાપાલિકામાં ઝાડ કાપવા માટેની મંજુરી લેવા જાય તો લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને મંજુરી પણ મળતી નથી, ડાળી કાપવી હોય તો ફાયર બ્રિગેડ શાખાના અધિકારીઓને વિનવણી કરવી પડે છે, ઉપર ફોટામાં મહાપાલિકાના ફાયર બ્રિગેડના કવાર્ટરની સામે અને લાઇટ શાખાની ઓફિસ પાસે લગભગ પાંચેક ઝાડ કાપી નાખવામાં આવ્યા છે, આ ઝાડ કોની સૂચનાથી કપાયા છે ? કદાચ કોઇ બિલ્ડીંગ બનતું હોય તે આવકારદાયક છે, પરંતુ ઝાડને બચાવીને પણ બિલ્ડીંગ બનાવી શકાય, પરંતુ એવું થયું નથી, ખુદ મહાપાલિકા જ નિયમનો સરેઆમ ઉલ્લંઘન કરે છે ત્યારે લોકોને શું કહેવું ? આમ મહાપાલિકાના પટાંગણમાં આંબો, બદાચ, આંબલી જેવા ઝાડનું નિકંદન કરી નાખવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application