ICC એ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદને T20 વર્લ્ડ કપ 2024 માટે એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. હવે આફ્રિદી યુવરાજ સિંહ, ક્રિસ ગેલ અને યુસૈન બોલ્ટની સાથે T20 વર્લ્ડ કપના એમ્બેસેડર તરીકે જોવા મળશે. આ પાકિસ્તાની દિગ્ગજ રાજદૂત બનતાની સાથે જ નવો વિવાદ ઉભો થયો છે. આ વિવાદમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન સુરેશ રૈના અને પાકિસ્તાની પત્રકાર ઈમરાન સિદ્દીકીનું નામ સામેલ છે.
આફ્રિદીને T20 વર્લ્ડ કપ 2024નો એમ્બેસેડર બનાવતાની સાથે જ એક પાકિસ્તાની પત્રકારે એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેણે સુરેશ રૈનાનો ઉલ્લેખ કરતા લખ્યું કે, 'ICCએ શાહિદ આફ્રિદીને ICC T20 વર્લ્ડ કપ 2024 માટે એમ્બેસેડર બનાવ્યો છે, હેલો સુરેશ રૈના'. આ પોસ્ટ દ્વારા પાકિસ્તાની પત્રકાર ભારતીય ક્રિકેટરને ટ્રોલ કરવા માંગતા હતા. પરંતુ તેની ચાલ તેના પર ઉલટી પડી. તેની પોસ્ટનો જવાબ આપતા સુરેશ રૈનાએ પણ પોસ્ટ કરી હતી.
રૈનાએ પોસ્ટ કરીને લખ્યું, 'હું ICC એમ્બેસેડર નથી, પરંતુ 2011 વર્લ્ડ કપ મારા ઘરે છે. તમને મોહાલી મેચ યાદ છે? આશા છે કે તે તમારા માટે કેટલીક અવિસ્મરણીય યાદો પાછી લાવશે'. રૈનાના આ જવાબ પછી ભારતીય પ્રશંસકોએ પણ પત્રકાર વિરુદ્ધ ઉગ્ર ટિપ્પણી કરી અને તેને ટ્રોલ કર્યો.
T20 વર્લ્ડ કપ 2024 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ભારતીય ટીમ 9 જૂને ન્યૂયોર્કમાં પાકિસ્તાન સાથે લડતી જોવા મળશે. ટી20 વર્લ્ડ કપ 2022માં પણ ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. હવે ફરી એકવાર તેની પાસે પાકિસ્તાનને હરાવવાની શાનદાર તક હશે.
'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech