સુપ્રીમ કોર્ટનો આજે ઐતિહાસિક દિવસ છે.જેમાં આજે 2 નવા જજ મળી રહ્યા છે.KV વિશ્વનાથન અને જસ્ટિસ પ્રશાંત મિશ્રા લેશે શપથ, એક 2030માં CJI પદના દાવેદાર છે.જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને એમઆર શાહની નિવૃત્તિ પછી સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 34ની મંજૂર સંખ્યાથી ઘટીને 32 થઈ ગઈ છે. હવે આ બે જજ બનવાની સાથે જ સુપ્રીમ કોર્ટમાં ફરીથી જજોની સંખ્યા તેની મંજૂર સંખ્યા જેટલી થઈ જશે.
આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને વરિષ્ઠ વકીલ કલાપતિ વેંકટરામન વિશ્વનાથન આજે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ બંને નવા ન્યાયાધીશોને પદના શપથ લેવડાવશે. જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને એમઆર શાહની નિવૃત્તિ પછી સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 34ની મંજૂર સંખ્યાથી ઘટીને 32 થઈ ગઈ છે. હવે આ બે જજ બનવાની સાથે જ સુપ્રીમ કોર્ટમાં ફરીથી જજોની સંખ્યા તેની મંજૂર સંખ્યા જેટલી થઈ જશે.
નવનિયુક્ત કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા સુપ્રીમ કોર્ટના બે નવા ન્યાયાધીશોની નિમણૂક વિશે માહિતી આપી. તેમણે લખ્યું, 'ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, ભારતના માનનીય રાષ્ટ્રપતિ, માનનીય મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી, ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રા અને વરિષ્ઠ વકીલ કે.વી. વિશ્વનાથનને નિયુક્ત કરવામાં ખુશ છે.
કલ્પથી વેંકટરામન વિશ્વનાથન ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ પણ છે. તેઓ સુપ્રીમ કોર્ટના માત્ર 10મા જજ છે જેમને બારમાંથી સીધા નિયુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિસ જેબી પારડીવાલાની નિવૃત્તિ બાદ કે.વી. વિશ્વનાથન 11 ઓગસ્ટ, 2030ના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ બની શકે છે. જો આમ થાય છે, તો તેઓ એસએમ સિકરી, યુયુ લલિત અને પીએસ નરસિમ્હા પછી બારમાંથી સીધા નિયુક્ત થનારા ભારતના ચોથા મુખ્ય ન્યાયાધીશ પણ હશે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે આ બંને નામોની ભલામણ બે દિવસ પહેલા કેન્દ્રને મોકલી હતી, જેને સરકારે ગુરુવારે મંજૂરી આપી હતી.
જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા હાલમાં આંધ્રપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી રહ્યા છે અને છત્તીસગઢ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ સેવા આપી ચુક્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ બનનાર પ્રથમ છત્તીસગઢી હશે. જસ્ટિસ કેએમ જોસેફ, જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ વી રામાસુબ્રમણ્યન ઉનાળાના વેકેશન દરમિયાન 3 જજ નિવૃત્ત થઈ રહ્યા છે અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન આજે આ 3 જજોને વિદાય આપશે. CJI DY ચંદ્રચુડ ઉપરાંત સુપ્રીમ કોર્ટના કોલેજિયમમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, કેએમ જોસેફ, અજય રસ્તોગી અને સંજીવ ખન્ના પણ સામેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પરિવાર દ્વારા આવતીકાલે જગત મંદિરે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ
July 06, 2024 10:11 AMઆ રાશિના લોકોએ આજે જોખમ ન ઉઠાવવું, આવેશમાં આવીને કોઈ નિર્ણયો ન લેવા
July 06, 2024 10:05 AMજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech