વાળ આપણા વ્યક્તિત્વનું એક એવું પાસું છે કે જો તે યોગ્ય ન હોય તો તે આપણા વ્યક્તિત્વને ઘણી અસર કરે છે. લોકો ઘણીવાર વાળ ખરવાની સમસ્યાથી પરેશાન રહે છે. તેની પાછળનું કારણ વાળની યોગ્ય કાળજી ન લેવાતી હોય તે જ છે. વાળને પણ શરીરની જેમ ખોરાકની જરૂર હોય છે અને તેલ વાળ માટે ખોરાક તરીકે કામ કરે છે. જો તમે યોગ્ય સમયે તમારા વાળમાં તેલ ન લગાવો તો તમારા વાળ નબળા પડી જાય છે અને તૂટવા લાગે છે. તેથી, અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ તેલથી વાળની માલિશ કરવી જરૂરી છે. તેનાથી ડેન્ડ્રફ અને વાળ ખરતા અટકે છે. જો કે, ઘણી વખત તેલ લગાવ્યા પછી પણ વાળ ખરી જાય છે, કારણ કે તેલ લગાવવાની આપણી પદ્ધતિ ખોટી છે.
ઘણી સ્ત્રીઓ કે પુરૂષોને લાગે છે કે લાંબા સમય સુધી વાળમાં તેલ લગાવવાથી વાળને ઘણું પોષણ મળે છે, આવી સ્થિતિમાં તેઓ રાત્રે તેલ લગાવે છે અને સવારે ઉઠ્યા પછી વાળ ધોઈ લે છે. જો કે, આયુર્વેદ નિષ્ણાતોના મતે વાળમાં તેલ લગાવવાનો એક ચોક્કસ સમયગાળો છે. જો તમે તમારા વાળમાં તેલ લગાવી રહ્યા હોવ તો તેને માત્ર 45 થી 50 મિનિટ સુધી રાખો. જો તમે તેને આનાથી વધુ સમય સુધી રાખો છો અન્ય સમસ્યાઓ થવા લાગે છે.
જો તમે ખરેખર તમારા વાળની સંભાળ રાખવા માંગો છો, તો તમારા વાળમાં 1 કલાકથી વધુ સમય સુધી તેલ ન રાખો. જો તમે તમારા વાળમાં લાંબા સમય સુધી તેલ છોડો છો, તો તે છિદ્રોને બંધ કરી શકે છે અને ઓક્સિજનને વાળ સુધી પહોંચતા અટકાવી શકે છે. લાંબા સમય સુધી તમારા વાળમાં તેલ રાખવાથી તમારા વાળને નુકસાન થઈ શકે છે. માથાની ચામડી પર ફોલ્લીઓ અને પિમ્પલ્સ થઈ શકે છે. જેના કારણે વાળ ખરવા લાગે છે. તે પણ ધ્યાન રાખો કે તમે તેલને વધારે ઘસશો નહીં.
જો કે, એવા ઘણા નિષ્ણાતો છે જેઓ માને છે કે રાત્રે કરવામાં આવેલું તેલ આખી રાત વાળને પોષણ આપે છે, જેનાથી વાળ સુંદર અને ઘટ્ટ બને છે. આ બંને પરિસ્થિતિઓની પુષ્ટિ કરી શકાતી નથી. તેથી, તમે આ વિશે તમારા ડૉક્ટર સંપર્ક કરી શકો છો.
આ ઉપરાંત જે લોકો ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન હોય અથવા જેમની માથાની ચામડી કુદરતી રીતે તૈલી હોય તેવા લોકોને પણ વધુ સમય માટે તેલ ન લગાવવું જોઈએ. આ સ્થિતિમાં તેલને લાંબા સમય સુધી લગાવવાથી માથાની ચામડી તરફ ધૂળ અને ગંદકી આવે છે અને પછી સમસ્યા હલ થવાના બદલે વધી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:02 PMખંભાળિયા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ - ૨૦૨૫ની ઉજવણી કરાઈ
April 24, 2025 05:08 PMનયારા એનર્જી ફરીથી લાવે છે મહા બચત ઉત્સવ
April 24, 2025 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech