આજરોજ બપોરના સમયે ગાંધીનગર સ્થિત ગૌણસેવા પસંદગી મંડળના કાર્યાલયમાં આગ લાગી હોવાની ઘટના બની છે. કર્મયોગી ભવનમાં આવેલી ગૌણસેવા પસંદગી મંડળની ઓફીસના બ્લોક-2 માં પહેલા માળે આગ લાગી હોવાની વિગતો સામે આવી છે. જો કે હવે આ આગ બાદ અનેક તર્ક વિતર્કો ચાલુ થઇ ચુક્યા છે. આગજનીની ઘટના બાદ બાદ કર્મચારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ મચી હતી. જો કે, હાલ આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાકાહ્ર નથી. પરંતુ મોટી માત્રામાં માલ હાની એટલે કે ડોક્યુમેન્ટસ બળીને ખાખ થઇ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.
ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી તમામનો બચાવ કર્યો છે. સૂત્રો મુજબ અનેક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ બળીને રાખ થઇ ગયા છે. એવો ગણગણાટ શરુ થયો છે કે હજુ વધુ નવા કૌભાંડો બહાર આવે તે પહેલા જ તમામ પુરાવાઓ સગેવગે કરી દેવામાં આવ્યા છે.
આ બાદ આપ નેતા ગોપાલ ઇટાલિયાએ પણ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. ફરીવાર યુવરાજસિંહના સમર્થનમાં બોલતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે, આ કુદરતી નહી પણ કૃત્રિમ આગ છે. આ આગ સરકાર જનતાની ગુસ્સાની આગમાં ન બળે તે માટે આ લગાવવામાં આવી છે. અનેક બિનકાયદેસર રીતે ઘુસી ગયેલા નકલી કર્મચારીઓના હૈયાને ઠંડક આપનારી આગ છે. યુવરાજસિંહ જેલમાં છે અને તે એક મોટા ઘટસ્ફોટની તૈયારી કરી રહ્યા હતા. જોકે આ ઘટસ્ફોટ થાય તો હજારો નકલી કર્મચારીઓનું કૌભાંડ સામે આવે તેવી શક્યતા હતી. જેના કારણે આખરે આ આગ લગાવી દેવામાં આવી. જેથી સરકાર કહી શકે કે હાલ અમારી પાસે આવો કોઇ ડેટા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરમાં વ્યાજ વટાવની ફરીયાદમાં એક આરોપીની અટકાયત
July 08, 2024 01:48 PMહાલારમાં અષાઢી બીજની ભવ્યાતિભવ્ય ઉજવણી: ઠેર-ઠેર ધાર્મિક કાર્યક્રમો
July 08, 2024 01:41 PMરણવીર સિંહને મળ્યો બીજો મોટો પ્રોજેક્ટ, સંજય દત્ત અને આર માધવન સાથે જોવા મળશે આ ફિલ્મમાં
July 08, 2024 01:35 PMફલ્લા ગામે અષાઢી બીજ નિમિતે ધ્રાંગડા સુધીની રથયાત્રા નિકળી
July 08, 2024 01:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech