મુખ્યમંત્રી કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે કરાયું કનેક્ટ, હવે ફરિયાદો સીધી થઇ શકશે વોટ્સએપના માધ્યમથી

  • January 10, 2023 10:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવે મુખ્યમંત્રી કાર્યાલય સાથે સીધુ જ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઇ શકાશે. કાર્યાલય સાથે જોડાવા માટે એક વોટસએપ નંબર પણ જારી કરવામાં આવ્યો છે. જેમાં જુદા જુદા વિભાગોની ફરિયાદ નોંધાવી શકાશે. ગુજરાત સરકાર તરફથી +91 7030930344 વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેના માધ્યમથી ફરિયાદોનું નિરાકરણ લાવવા મુખ્યમંત્રી કાર્યાલય પ્રયત્નશીલ રહેશે.

આ નંબર પરથી ફરિયાદો હવે વોટ્સએપના માધ્યમથી જ કરી શકાશે. અરજી કરવા માટે આ વોટ્સએપ નંબરનો ઉપયોગ કરવાનો રહેશે. સરકાર દ્વારા જે વો્ટસએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. તેમાં અલગ અલગ પ્રકારે અરજી કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application