શું મનપાની ગાર્ડન શાખા સૂતી છે? મનપાની ગાર્ડન શાખા રણમલ તળાવના ફુવારાની સફાઈની આળસ ક્યારે ખંખેરશે?
વિકાસની મોટી મોટી વાતો કરતું જામનગર મહાનગરપાલિકાનું તંત્ર લોકોના મનોરંજન માટે લાખો અને કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ આટલા મોટા ખર્ચા કર્યા બાદ જાળવણી કરવામાં વામણી પુરવાર થઈ છે. જામનગરમાં રણમલ તળાવ પાસે લોકો માટે ફુવારા તો બનાવાયા પણ તેમાં પાણી જોશો તો અત્યંત ગંદુ અને દુર્ગંધ યુક્ત છે. જેના કારણે અત્યંત મચ્છર પણ થાય છે.
જામનગરની શાન સમાન ગણાતું આ લાખોટા તળાવ લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. જ્યાં દેશ વિદેશના પક્ષીઓ પણ આવતા હોય છે. અને અહીંયા આશરો લેતા હોય છે. તો પક્ષીઓ આવું ગંદુ પાણી પીવે તો તેમને નુકસાન થઈ શકે છે. સાથે સાથે સ્વાસ્થ્ય જાળવવા માટે હજારોની સંખ્યામાં લોકો ત્યાં વોકિંગ માટે પણ આવતા હોય છે. અને સહેલાણીઓ પણ લાખોટા તળાવની મુલાકાતે આવતા હોય છે. ત્યારે બ્યુટીફિકેશનના નામે મહાનગરપાલિકાની ગાર્ડન શાખાનો વહીવટ લોલમ લોલ જોવા મળી રહ્યો છે.
શહેરમાં ફુવારા એક આકર્ષણનું કેન્દ્ર ગણાય છે. પરંતુ અહીં તો હાલત એવી છે કે ફુવારાની હાલત જોઈને જ કોઈ તેની નજીક નથી આવતું અને જો કોઈ ભૂલથી પણ ત્યાં આવી જાય તો તેનું દુર્ગંધ યુક્ત પાણી, સેવાળ અને કચરો જોઈને જ ભાગી જાય છે. તો તંત્રને જાણ એટલી કરવાની છે કે આ લોકોના મનોરંજન માટે કરો છો કે તેમને દૂર ભગાડવા માટે?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોકુલનગરમાં સિક્યુરિટી ગાર્ડના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો
September 20, 2024 11:19 AMસૌથી ખરાબ સેવાઓ...ભારતીય-અમેરિકન CEOએ એર ઈન્ડિયા પર લગાવ્યો આરોપ, જુઓ વીડિયો
September 20, 2024 11:17 AMપરિવારો પર 11,000 કરોડનો બોજ નાખે છે ફૂડ ડિલિવરી કંપનીઓ
September 20, 2024 11:16 AMઆજે પિતૃપક્ષનું તૃતીયા શ્રાદ્ધ, જાણો તર્પણ અને પિંડ દાનની સાચી રીત
September 20, 2024 11:15 AMએસ.ટી. ડેપો નજીકના તળાવનામાંથી મૃતદેહ મળ્યો
September 20, 2024 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech