ભારતીય-અમેરિકન CEO અનિપ પટેલે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં શિકાગોથી દિલ્હીની મુસાફરી કરી હતી. તેણે એક વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર તેના ખૂબ જ ખરાબ મુસાફરીના અનુભવને શેર કર્યા છે. તેમણે ફ્લાઇટની ગંદકી અને નબળી સેવાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં તેણે આ પ્રવાસને દુઃસ્વપ્ન ગણાવ્યો. આ પછી એરલાઈને કોઈ પણ ફરિયાદ નોંધાવ્યા વગર તેને રિફંડ ઈશ્યુ કર્યું.
ભારતીય-અમેરિકન CEO અનિપ પટેલે તાજેતરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરી કરી હતી. તેણે પોતાના પ્રવાસના અનુભવને એક વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેણે એરલાઇનના દાવાઓની પોલ ખોલી. આ પછી એરલાઈને અનિપ પટેલને રિફંડ આપવું પડ્યું.
અનિપ પટેલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ્સના સીઇઓ છે. અનિલે તાજેતરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસની ટિકિટ પર શિકાગોથી દિલ્હી સુધી 15 કલાકની નોન-સ્ટોપ મુસાફરી કરી હતી.
આ પ્રવાસ દરમિયાન તેનો અનુભવ ઘણો ખરાબ રહ્યો. અનિપે બિઝનેસ ક્લાસમાં પોતાના અનુભવને સૌથી ખરાબ અનુભવ ગણાવ્યો હતો. અનિપ પટેલે આનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
અનીપ પટેલે કેપ્શનમાં લખ્યું – દુઃસ્વપ્ન
"મેં તાજેતરમાં શિકાગોથી દિલ્હીની એર ઈન્ડિયાની નોન-સ્ટોપ ફ્લાઈટ લીધી હતી. મુસાફરીનો અનુભવ બિલકુલ સુખદ નહોતો. મેં એર ઈન્ડિયા વિશે ઘણી નકારાત્મક વાતો સાંભળી હતી, પરંતુ મને લાગ્યું કે નવા મેનેજમેન્ટ એરલાઇનનો કબજો મેળવ્યા પછી તેમાં સુધારો થયો હશે. સુવિધાઓમાં સુધારો થયો હશે પરંતુ કમનસીબે એવું બન્યું નહીં.
ફ્લાઈટમાં વાઈ-ફાઈ નહોતું. ફર્સ્ટ ક્લાસ ખૂબ જ ખરાબ હાલતમાં હતો. સ્વચ્છતા ન હતી. કેબિનમાં જ્યાં-ત્યાં ફેંકાયેલો ખોરાક અને કચરો પડ્યો હતો. બધું કાં તો ક્ષતિગ્રસ્ત હતું અથવા તૂટેલું દેખાતું હતું. ફૂડ મેનૂ યોગ્ય હતું પરંતુ તેમાથી અડધું ભોજન હતું જ નહી. સમગ્ર પ્રવાસનો અનુભવ ખૂબ જ ખરાબ હતો. એર ઈન્ડિયાની સેવા લેતા પહેલા થોડી સાવધાની રાખો.
કંપનીએ આપવું પડ્યું રિફંડ
અનિપે એર ઈન્ડિયાના બિઝનેસ ક્લાસમાં પ્રવાસને એક દુઃસ્વપ્ન ગણાવ્યો હતો. તેના વીડિયો પર ઘણા લોકોએ પોત-પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. જો કે બાદમાં અનિપ પટેલે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં લખ્યું કે એર ઈન્ડિયાએ કોઈપણ સત્તાવાર ફરિયાદ નોંધાવ્યા વિના $6,300 (લગભગ રૂ. 5.2 લાખ)ની સંપૂર્ણ રકમ પરત કરી દીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech