પહલગામ હુમલો: ગુજરાત સરકારની પીડિત પરિવારોને સહાય, મૃતકોના પરિવારને ₹5 લાખ અને ઇજાગ્રસ્તોને ₹50,000 ની સહાય

  • April 23, 2025 10:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં ભોગ બનેલા પરિવારો પ્રત્યે ગુજરાત સરકારે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. રાજ્ય સરકારે આ દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનાર ગુજરાતના પ્રવાસીઓના પરિવારજનોને રૂપિયા 5 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા રાજ્યના પ્રવાસીઓને પણ રૂપિયા 50,000 ની સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર આ મુશ્કેલ સમયમાં પીડિત પરિવારોની પડખે મક્કમતાથી ઊભી છે અને તેમને શક્ય તમામ મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.




પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની પૃષ્ઠભૂમિમાં, ભારતે પાકિસ્તાન સામે અત્યંત કડક પગલાં લીધા છે. કેન્દ્રીય કેબિનેટ સુરક્ષા સમિતિ (CCS)ની તાત્કાલિક બેઠક બાદ ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, જે ભારત અને પાકિસ્તાનના સંબંધોને એક નવા તણાવપૂર્ણ તબક્કામાં લઈ જઈ શકે છે.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application