BREAKING NEWS

જામનગર: સાધના કોલોનીમાં સમજાવવા ગયેલા યુવાન પર છરીબાજી

  • July 04, 2026 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: સાધના કોલોનીમાં સમજાવવા ગયેલા યુવાન પર છરીબાજી

એક શખ્સે હુમલો કર્યો, અન્ય ત્રણે ઢીકા-પાટુનો માર માર્યો

જામનગર સાધના કોલોની જલારામ ચોકમાં ગઇકાલે મોડી સાંજે એક યુવાન પર છરી વડે હુમલો કરી તેમજ ઢીકાપાટુનો માર માર્યાની ચાર સામે ફરીયાદ કરવામાં આવી છે. 

જામનગરના હર્ષદમીલની ચાલી રોડ પ્રણામી ટાઉનશીપ-૩ ખાતે રહેતા મજુરી કરતા રાજભા જબ્બરસિંહ રાઠોડ (ઉ.વ.૨૧) ના મિત્ર કૃણાલ મદનલાલ કોકડેને આરોપી રામજી સાથે ઝઘડો ચાલતો હોય અને ફરીયાદી રાજભા તેને સમજાવવા જતા ગઇકાલે સાધના કોલોની જલારામ ચોક પાસે આરોપીએ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી છરી વડે હુમલો કરીને ફરીયાદીને કાંડા અને બગલના ભાગે ઇજા પહોચાડી હતી અને અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર મારી એકબીજાને મદદગારી કરી હતી.
​​​​​​​
રાજભા દ્વારા સીટી-એ ડીવીઝનમાં જલારામ ચોક ખાતે રહેતા રામજી બીગુ શાહ અને ૩ અજાણ્યા ઇસમ વિરુઘ્ધ બીએનએસ કલમ અને જીપીએકટ મુજબ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application