ભારતી આશ્રમમાં સ્વયંભૂ શિવલિંગ પાણીમાં ગરકાવ, વરસાદે સર્જેલી તારાજીના દ્રશ્યો સામે

  • July 23, 2023 07:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢના ભવનાથ જંગલ વિસ્તારમાં ગઈકાલે આભ ફાટતાં સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા, પાણીના પ્રવાહથી દામોદર કુંડ ની ઉપરની પાળ તૂટી ગઈ હતી ભારતી આશ્રમમાં પાણી ઘૂસી જતા સ્વયંભૂ સ્ફટિક શિવલિંગ પાણીમાં ગરકાવ થયું હતું. સમગ્ર ભવનાથમાં વીજ વ્યવહાર બંધ થઇ ગયો છે. દામોદર કુંડ પાસે પાણીના પ્રવાહથી કેબીનો તણાઈ ગઈ હતી. આ ઉપરાંત નવા ભવનાથ વિસ્તારમાં માર્ગોનો ધોવાણ થતા ગાબડાઓ પડ્યા છે. અને હવે પાણી ઓછું થતા, ઠેર ઠેર પાણીના પ્રવામાં તણાઈને આવેલા વાહનો અને માલસામાન વિખારેલા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application