ભારત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪ના ભાગરૂપે તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણી નિમિત્તે તા.૧૭ સપ્ટેમ્બર થી તા.૦૨ ઓકટોબર દરમ્યાન “સ્વચ્છતા પખવાડીયા” નું આયોજન કરવામાં આવ્યું છે. ભાયાવદર નગરપાલિકા દ્વારા આ અવસરે આજે ‘સ્વચ્છતા રેલી’ યોજવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર, સ્ટાફ, જનપ્રતિનિધિ, મ્યુનિ.કુમાર શાળાના પ્રિન્સીપાલ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ વિગેરે જોડાયા હતા.
રેલી ઉપરાંત “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’’ અંતર્ગત ભાયાવદર નગરપાલિકા દ્વારા સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને ભાયાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, મ્યુનિસિપલ બોઈઝ સ્કૂલના પ્રિન્સિપાલ તથા બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમા લોકગીત, સ્વચ્છતા સંવાદ, સેલ્ફી પોઈન્ટ વગેરે જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તથા સ્વચ્છતા પખવાડિયા અંગેની માહિતી આપવામા આવી હતી. આ તકે શહેરના આગેવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા નાગરીકોએ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહી સ્વચ્છતા જાગૃતિ અંગેના શપથ લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના લાલપુરના નાંદુરી ગામે હત્યા મામલે પોલીસ અધિકારીની પ્રતિક્રિયા
May 16, 2025 12:34 PMઅમિત ખુંટ આપઘાત પ્રકરણમાં જેલ હવાલે રહેલા બન્ને એડવોકેટ જામીન મુકત
May 16, 2025 12:32 PM17 મે ની પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન રદ
May 16, 2025 12:24 PMલાલપુરના નાંદુરી સીમમાં ખેડુત વૃઘ્ધનું ઢીમ ઢાળી દીધુ
May 16, 2025 12:18 PMસિકકામાં શ્રમિક યુવાનને ધોકા-ઢીકાપાટુ વડે માર માર્યો
May 16, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech