થાન નજીક બાઈક સ્લીપ થતાં પાંચ વર્ષના પુત્રનું મોત: પિતાને ઇજા

  • September 11, 2024 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોટીલાથી થાન વચ્ચે સુરજદેવળ મંદિર પાસે કૂતં આડે ઉતરતા બાઈક સ્લીપ થતા પિતા–પુત્રને ઇજા થઇ હતી જેમાં પાંચ વર્ષના પુત્રને માથાના ભાગે વધુ ઇજા હોવાથી સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેનું સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. માસુમ પુત્રના મોત બાદ પરિવારે ચક્ષુદાન કરવાનો નિર્ણય કર્યેા હતો.
પ્રા વિગત મુજબ ચોટીલામાં થાન રોડ પર આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ પરમાર પાંચ વર્ષના પુત્ર કૃપાલને બાઇકમાં બેસાડી ગઈકાલે તરણેતરના મેળામાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે થાન રોડ પર આવેલા સૂરજ દેવળ મંદિર પાસે બાઈક આડે કૂતં ઉતરતા સ્લીપ થઇ હતી અને પિતા પુત્ર રોડ પર પટકાતા પુત્રને ગંભીર ઇજા થવાથી પ્રથમ ચોટીલા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ મોડી રાત્રીના પુત્રએ આખં મીંચી લેતા પરિવારમાં ગમગીની છવાઈ હતી.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી પુરી કરી હતી. કૃપાલ એક ભાઈ બહેનમાં નાનો હતો. પુત્રના મોત બાદ પરિવારે ચક્ષુદાન કરી અન્ય બાળકના જીવનમાં રોશની લાવવા માટેનો પ્રયાસ કર્યેા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application