રાઈટ ટુ એજયુકેશન આરટીઆઈ એકટ હેઠળ રાયની ખાનગી સ્કૂલોમાં ધો.૧માં પ્રવેશ માટેના ત્રીજા રાઉન્ડમાં વધુ ૨૨૩૧ બાળકોને પ્રવેશ ફાળવાયો છે. બીજા રાઉન્ડના અંતે ખાલી પડેલી ૯૧૫૭બેઠકો માટે ત્રીજા રાઉન્ડની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં ૩૧ હજાર કરતા વધુ અરજદારોએ શાળા પુન: પસંદગી કરી હતી, યારે ૫૧ હજાર કરતા વધુ અરજદારોએ પોતાની અગાઉની પસંદગીને જ યથાવત રાખી હતી.ગઈકાલે ત્રીજા રાઉન્ડની પ્રવેશની ફાળવણી કરવામાં આવ્યા બાદ હજુ ૬૯૪૬ બેઠકો ખાલી રહી છે.
ત્રીજા રાઉન્ડમાં જે વિધાર્થીઓને પ્રવેશ ફાળવાયો છે તેમણે ૧૩ જૂન સુધીમાં સ્કૂલમાં જઈને પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે.આરટીઈ એકટ અંતર્ગત રાયની ૫૧૦૫૭ અરજદારોએ અગાઉ પસદં કરેલી શાળાઓ યથાવત રાખી રાખી છે. વિધાર્થીઓએ ૧૩ જૂન સુધીમાં જે તે સ્કૂલમાં જઈને પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે
શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ તથા બીજા તબક્કામાં કુલ ૯૩૨૭૦ વિધાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો. જેમાંથી નિયત સમયમર્યાદામાં બંને રાઉન્ડ બાદ એકંદરે કુલ ૮૫૭૪૪ વિધાર્થીઓએ જે–તે શાળામાં બ જઇ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો.
પ્રમાણે ધો.૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે શિક્ષણ વિભાગ દ્રારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫૨૬ માટે રાયની કુલ ૯૮૧૪ બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં કુલ ૯૪૭૯૮ જગ્યાઓ આરટીઆઈ હેઠળ ઉપલબ્ધ હતી. જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને ૬ કિ.મી.ની ત્રિયાના વિસ્તારમાં ઉપલબ્ધ કરાવવામા આવશે બીજા રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલીરહેવા પામેલી ૯૧૫૭ જગ્યાઓ ૫૨ વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને આરટીઈ હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુથી પ્રથમ તથા બીજા રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા
અરજદારોને શાળાઓની પુન: પસંદગીની તક આપવામાં આવી હતી. ૨ જૂનથી ૪ જૂન સુધી અરજદારો દ્રારા શાળા પુન: પસંદગી કરવામાં આવી હતી. જેમાં કુલ ૩૧૩૯૧ અરજદારોને શાળાઓની પુન: પસંદગી કરી હતી.
દરમિયાન, શિક્ષણ વિભાગ દ્રારા આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો રાઉન્ડ ગઈકાલે જાહેર કરાયો છે. જેમાં વધુ ૨૨૩૧ બાળકોને પ્રવેશ ફાળવાયો છે.
યારે ઉપલબ્ધ જગ્યાઓ પૈકી ત્રીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારો દ્રારા ઓનલાઈન ફોર્મમાં પસદં ન કરેલી હોઈ પસંદગીના અભાવે સમગ્ર રાયમાં ૬૯૪૬ જગ્યા ખાલી પડી છે. ખાલી પડેલી જગ્યાઓ પૈકી સૌથી વધુ અંગ્રેજી માધ્યમમાં ૪૨૩૮ જગ્યા ખાલી પડી છે. આ ઉપરાંત ગુજરાતી માધ્યમમાં , હિન્દી માધ્યમમાં ૧૯૧૯ તથા અન્ય માધ્યમમાં ૧૬૫ બેઠકો ખાલી પડી છે. ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલા વિધાર્થીઓએ ૧૩ જૂન, ૨૦૨૫ સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન બ જઈ જરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech