સાવરકુંડલાની કે.કે.હોસ્પિટલના ગંદકીના પ્રશ્ર્ને શહેર ભાજપ ટીમ અને પાલિકા સદસ્યો દ્વારા નિરાકરણ કરાયું

  • March 15, 2023 05:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાવરકુંડલા કે.કે.હોસ્પિટલના પટાંગણમાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળતાની જાણ શહેર પ્રમુખ પ્રવીણભાઈ સાવજને થતાં શહેર ભાજપ ટીમ તેમજ નગરપાલિકા સદસ્યો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને પાલિકા પ્રમુખ પતિ રાજુભાઈ દોશીને જાણ કરી બંધ થયેલ ગટરો ચાલુ કરવામાં આવી અને પાલિકાનું જેસીબી બોલાવી વધારાનો કચરાનો નિકાલ કરવામાં આવ્યો આ તકે શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા, સંદીપકભાઈ ભટ્ટ, પાલિકાના સદસ્ય મેહુલભાઈ ત્રિવેદી, કિશોરભાઈ બુહા, અશોકભાઈ ચૌહાણ, લાલભાઈ ગોહિલ, અનિલભાઈ ગોહિલ, સોહિલ શેખ, આશિફભાઈ કુરેશી, રમેશભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રભાઈ મહેતા, અજયભાઈ ખુમાણ, સ્થળ પર હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં કે.કે.સરકારી હોસ્પિટલમાં વૃક્ષારોપણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાફ સફાઈ થઈ જતાં હોસ્પિટલ અધિક્ષક હોસ્પિટલ સ્ટાફ અને આજુબાજુના રહીશો દ્વારા શહેર ભાજપ ટીમ, ચીફ ઓફિસર બારડ, પાલિકા પ્રમુખ પતિ રાજુભાઈ દોશી તેમજ પાલિકાના સદસ્યોનો આભાર માન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application