માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને રાહત, સાંસદ-ધારાસભ્ય કોર્ટે મંજૂર કર્યા જામીન

  • February 20, 2024 04:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ તેમના નિવેદન બદલ નોંધાયેલા માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. ઉત્તર પ્રદેશ (યુપી)ના સુલતાનપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે આજે તેમને જામીન આપ્યા હતા. આ સમગ્ર મામલો વર્ષ 2018નો છે, જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સંબંધિત છે.


રાહુલ ગાંધી પર કર્ણાટકમાં એક કાર્યક્રમ દરમિયાન અમિત શાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો હતો. રાહુલ ગાંધીએ  ભારત જોડો ન્યાય યાત્રા રોકી હતી અને આ કેસમાં હાજર થવા માટે ત્યાં પહોંચ્યા હતા. બીજેપી નેતા વિજય મિશ્રાએ 4 ઓગસ્ટ 2018ના રોજ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાહુલે 8 મે, 2018ના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન બેંગલુરુમાં આયોજિત એક જાહેર સભામાં ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન પર હત્યાના દોષી હોવાનો આરોપ લગાવ્યો હતો.


બીજેપી નેતા વિજય મિશ્રાએ રાહુલની કોર્ટમાં હાજરી પહેલા કહ્યું, 'રાહુલ ગાંધીએ અમિત શાહને 'કિલર' કહ્યા હતા, ઘણા અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો, અમે તેના સંબંધમાં ફરિયાદ નોંધાવી હતી.' તેમણે કહ્યું કે, ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી છે. આવા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષને ખૂની કહેવામાં આવશે તે અયોગ્ય છે. આનાથી અમને ઘણું દુઃખ થયું, ત્યારપછી અમારા કાર્યકરોએ અમારા પર દબાણ કર્યું અને અમે ફરિયાદ નોંધાવી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application