રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું : 2 મહિના સુધી રેલનગર બ્રિજ રહેશે બંધ, આ રસ્તા પરથી જઈ શકાશે... 

  • September 27, 2023 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, આગામી બે મહિના સુધી શહેરનો રેલનગર બ્રિજ જનતા માટે બંધ રાખવામાં આવશે. હવે લોકો પોપટપરાથી જંકશન, માધાપરથી સંતોષીનગર થઈ જઈ શકશે.     


વરસાદ અને વગર વરસાદ એમ 365 દિવસ આ બ્રિજમાં પાણી ભરાયેલું રહેતું હોય છે. જેને લઇને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. ત્યારે વગર વરસાદે પાણી નિકળવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રાજકોટ મનપા શહેરના વોર્ડ નં.3માં આવેલા કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રેલનગર બ્રીજનું રીનોવેશન કરવાનો નિર્ણય લીધો છે. ₹56 લાખના ખર્ચે આ બ્રીજમાં વોટર પ્રૂફીંગ કરવામાં આવશે. બે મહિના જેટલા સમયમાં આ કામ ચાલશે તે દરમિયાન 2 લાખથી વધુનો લોકોને અસર પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application