માનહાનિના કેસમાં આખરે રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટના શરણે

  • April 26, 2023 12:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ કેસમાં મળેલી સજા પર રોક લગાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. તેણે નીચલી કોર્ટના આદેશને મંગળવારે (25 એપ્રિલ) હાઈકોર્ટમાં પડકાર્યો છે. રાહુલની અરજી પર ગુરુવારે સુનાવણી થવાની શક્યતા છે. 20 એપ્રિલે સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની દોષિત ઠરાવવાની અરજી ફગાવી દીધી હતી.

23 માર્ચે સુરતમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતે રાહુલ ગાંધીને ચૂંટણી રેલીમાં કરેલી મોદી અટક પર ટિપ્પણી કરવા બદલ તેમની સામે નોંધાયેલા ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જે બાદ તેમને લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. 13 એપ્રિલ, 2019 ના રોજ એક ચૂંટણી રેલીમાં રાહુલે કહ્યું હતું કે, "મોદી બધા જ માત્ર ચોર"


રાહુલ ગાંધીને બાદમાં આ કેસમાં જામીન મળી ગયા હતા. આ પછી, તેણે 3 એપ્રિલે સુરત સેશન્સ કોર્ટમાં તેની સજાના આદેશને પડકાર્યો હતો. તેણે તેની સજા પર રોક લગાવવા માટે અરજી પણ કરી હતી. રાહુલ ગાંધીને જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ 20 એપ્રિલે તેમની સજા પર રોક લગાવવાની અરજી ફગાવી દેવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application