પોર્ટ સુદાન એરપોર્ટ પર પ્લેન ક્રેશ, 9 મુસાફરોના મોત થયાં

  • July 24, 2023 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૃતકોમાં સેનાના ૪ જવાન નો પણ સમાવેશ



પોર્ટ સુદાન એરપોર્ટ પર એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં સેનાના ચાર જવાનો સાથે નવ મુસાફરોના મોત થયા હતા. સુદાનની સેનાએ જણાવ્યું કે વિમાનમાં ટેકનિકલ ખામીના કારણે આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં એક બાળકીનો જીવ બચી ગયો છે. યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.



વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોના નામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. ઓળખ બાદ તમામ મૃતકોના નામ પણ જાહેર કરવામાં આવશે. પ્લેન ક્રેશની જાણકારી મળ્યા બાદ એરપોર્ટ પર મુસાફરોના સંબંધીઓની ભીડ એકઠી થઈ જવા પામી હતી.



સુદાનના સૈન્ય અધિકારીઓએ એરપોર્ટ પ્લેન ક્રેશ માટે ટેક્નિકલ ખામીને જવાબદાર ગણાવી હતી. પ્લેનમાં કેટલીક ટેકનિકલ ખામીના કારણે તે બેકાબૂ બની ગયું હતું અને તેમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની મદદથી પ્લેનમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી. પ્લેન ક્રેશના કારણની તપાસ કરવામાં આવશે. પ્લેનનો કાટમાળ પણ ભેગો કરવામાં આવશે.


સપ્ટેમ્બર 2021માં સુદાનની રાજધાની ખાર્તુમમાં આવી જ એક ઘટના બની હતી. બે વર્ષ પહેલા એક મિલિટરી પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં લેફ્ટનન્ટ કર્નલ સહિત ત્રણ અધિકારીઓના મોત થયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application