વિજય શેખર શર્મા આરબીઆઈ અધિકારીઓને મળ્યા, વોલેટ બિઝનેસ અને ફાસ્ટેગમાં લાયસન્સ ટ્રાન્સફર મામલે સ્પષ્ટતા માંગી
એક તરફ, નિયમોનું પાલન ન કરવાને કારણે પેટીએમ પેમેન્ટ બેંક પર ૨૯ ફેબ્રુઆરીથી નવી ડીપોઝીટ લેવા પર આરબીઆઈના પ્રતિબંધને કારણે, ભીમ, ગૂગલ પે અને ફોન પે જેવી એપ્સના ડાઉનલોડમાં ૨૦% થી ૫૦% વધારો થયો છે. જો કે, પેટીએમની ૯૭ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં ૧૧ લાખથી વધુ રિટેલ અને ૫૦૦ વિદેશી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં મ્યુચ્યુઅલ ફંડ્સ અને વિદેશી રોકાણકારોએ પેટીએમમાં હિસ્સો વધાર્યો હતો. છેલ્લા ૪ દિવસમાં પેટીએમના શેરમાં ૪૦%થી વધુનો ઘટાડો થયો છે. જોકે, મંગળવારે તેના શેર ૩.૨૬% વધ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પેટીએમના સ્થાપક વિજય શેખર શર્મા અને કંપનીના અન્ય બોર્ડ સભ્યો આરબીઆઈ અધિકારીઓને મળ્યા છે અને પેટીએમ પેમેન્ટ બેંક પર લાદવામાં આવેલા પ્રતિબંધની સમયમર્યાદા ૨૯ ફેબ્રુઆરીથી લંબાવવા વિનંતી કરી છે. ઉપરાંત, કંપનીએ વોલેટ બિઝનેસ અને ફાસ્ટેગમાં લાયસન્સ ટ્રાન્સફરની સ્થિતિ અંગે આરબીઆઈ પાસેથી સ્પષ્ટતા માંગી છે.
ગ્રાહકો કોઈપણ પ્રતિબંધ વિના કોઈપણ તારીખ સુધી તેમના સંપૂર્ણ નાણાં ઉપાડી શકે છે અથવા પેટીએમ બેંકમાંથી ચુકવણી કરી શકે છે. જો વોલેટનો ઉપયોગ કરનારા યુઝર્સનું બેંક એકાઉન્ટ પણ પેટીએમ બેંકમાં છે, તો તેઓ તેમના વોલેટમાં પૈસા ઉમેરી શકશે નહીં. જો ખાતું બીજી બેંકમાં છે, તો તમે પેટીએમ એપ દ્વારા યુપીઆઈ દ્વારા ડિજિટલ પેમેન્ટ કરી શકો છો, પરંતુ તમે વૉલેટમાં પૈસા ઉમેરી શકતા નથી.
૨૯મી ફેબ્રુઆરી પછી ફાસ્ટેગ સેવા બંધ થઈ જશે અને તમે તેને ૧લી માર્ચથી રિચાર્જ કરી શકશો નહીં. એટલે કે તમે પેટીએમ એપનો ઉપયોગ કરીને ટોલ પ્લાઝા પર પેમેન્ટ કરી શકશો નહીં. જો કે, તમે ફાસ્ટેગમાં બેલેન્સનો ઉપયોગ કરી શકશો. ગ્રાહકો ગૂગલ પેય, ફોન પે જેવી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા ફાસ્ટેગ રિચાર્જ કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech