મોરબી : વાંકાનેરના ગામડા માંથી નીકળી રહ્યો છે જ્વલંત લાવા, જીઓલોજિકલ સર્વે ટીમ પહોચી તપાસ અર્થે

  • May 11, 2023 05:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબી જીલ્લાના વાંકાનેર નજીક એક ચોકાવનારી ઘટના બની છે. તાલુકાના ગારીડા ગામના ડુંગરાળ વિસ્તારમાં લાવા નીકળવાની ઘટના બની છે.


સૂત્રો મુજબ ડુંગરના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી લાવા નીકળી રહ્યો છે. અને ગઈકાલે રાત્રે પણ જ્વલંત લાવા નીકળ્યો હતો. આ બનાવ અંગે ગારીડા ગામના રહેવાસી યુનુસભાઈએ જણાવ્યું હતું કે, વાંકાનેરના ગારીડા ગામે મહિકા જવાના માર્ગ પર ડુંગર વિસ્તાર માથી છેલ્લા બે દિવસથી લાવા નીકળી રહ્યો છે. જો કે ગત રાત્રે પણ લાવા બહાર આવ્યો હતો. પરંતુ ગ્રામજનોને રાત્રે આ બાબતની જાણ થઈ ન હતી.



સવારે ત્યાંથી પસાર થતાં લોકોએ અન્ય રહેવાસીઓને જાણ કરતા લોકોના ટોળે ટોળા જોવામાં ઉમટી પડ્યા હતા. આથી ગામના સરપંચ ફાતમાબેને ખાણ ખનીજ વિભાગને જાણ કરતા ટીમ સેમ્પલ લેવા પહોચી છે. જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ પણ આ મામલે તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application