aajkaal@team
છેલ્લા કેટલાય સમયથી જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ ની ઘટનાઓ બની રહી છે જેમાં નિર્દોષ લોકોને ટાર્ગેટ કરી ભય ફેલાવવા નું કાવતરું આતંકી સંગઠનો દ્વારા કરવામાં આવે છે. છેલ્લા 14 કલાકમાં જમ્મુ કાશ્મીરના રાજૌરી નજીકનાં ડાંગરી ગામ ખાતે બે મોટા આતંકી હુમલા થયા હતા અને આ બંને હુમલાઓમાં બે બાળકો સહિત છ નિર્દોષ લોકો માર્યા ગયા છે. ત્યાંના રહેવાસીઓમાં ભયનો માહોલ ઉભો કરી ત્રાસવાદને ફેલાવવાની આ ઘટના વખોડવા લાયક છે.
મોરારીબાપુ દ્વારા તાજેતરની આ આતંકી ઘટનામાં માર્યા ગયેલા 6 લોકોને સાંત્વના રાશિ પહોંચતી કરવામાં આવશે.હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકના પરિજનોને 11000-11000 ની સહાયતા રાશિ પ્રેષિત કરવામાં આવેલ છે. જમ્મુ કાશ્મીરનાં રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચતી કરવામાં આવશે. મોરારીબાપુએ મૃતકના પરિજનોને દિલસોજી પાઠવી છે. ઉપરાંત આ ઘટનામાં જે લોકો ઘાયલ થયા છે તેઓ સત્વરે પોતાનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે એ માટે પૂજ્ય મોરારીબાપુ એ હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરેલ છે.તેમ જયદેવભાઇ માંકડ ની એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા નજીક ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત: એક મૃત્યુ
September 20, 2024 11:50 AMધોરાજીમાં કૌટુંબિક દાદા, ચાર મહિલા સહિત આઠ વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ મહિલા
September 20, 2024 11:44 AMભાજપના સદસ્યતા અભિયાનમાં 2511 સભ્યો જોડાયા
September 20, 2024 11:35 AMભારતે યુક્રેનને તોપગોળા આપ્યા: રિપોર્ટથી હોબાળો
September 20, 2024 11:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech