મનીષ સિસોદિયાનો જેલવાસ વધુ લંબાયો, CBIએ આ કારણસર માંગ્યો વધુ સમય

  • April 03, 2023 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હી લિકર પોલિસી કેસમાં જેલમાં બંધ AAP નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કોર્ટ દ્વારા તેનો જેલવાસ લંબાવ્યો છે.  મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીએ દિલ્હીની નવી દારૂ નીતિમાં ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આરોપી મનીષ સિસોદીયાની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી છે. આજે મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેને 17 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

સીબીઆઈ વતી સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તપાસ નિર્ણાયક તબક્કે છે. એટલા માટે અમે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી વધારવાની માંગ કરી રહ્યા છીએ.
​​​​​​​

કોર્ટમાં મનીષ સિસોદિયાની હાજરી દરમિયાન કાર્યકર્તાઓએ AAP હેડક્વાર્ટરમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. પોલીસે સુરક્ષા માટે રો એવન્યુ કોર્ટ અને ભાજપ હેડક્વાર્ટરની સામે પોલીસ બેરીકેટ્સ લગાવી દીધા છે.

ગયા મહિને દિલ્હીની વિશેષ CBI કોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારે આપે કહ્યું હતું કે મનીષ સિસોદિયા નીચલી કોર્ટના નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application