પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં હિંસાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અહીં અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવાની માંગણી કરતા બે જૂથો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. ગઈકાલે રાત્રે કેન્દ્રીય મંત્રી આરકે રંજન સિંહના ઈમ્ફાલમાં આવેલા ઘરમાં આગ લાગી હતી. ઘટના સમયે કેન્દ્રીય મંત્રી તેમના ઘરે ન હતા.
મણિપુરમાં બગડતી પરિસ્થિતિ હજુ કાબુમાં આવી નથી. ગઈકાલ રાત્રે કથિત ટોળાએ ફરી એકવાર કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી રાજકુમાર રંજનના નિવાસસ્થાનને નિશાન બનાવ્યું. ભીડે ઘરને આગ લગાવી દીધી હતી.જેના કારણે તે સંપૂર્ણ રીતે બળી ગયું. કેન્દ્રીય મંત્રીનું આ નિવાસ ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના કોંગબા નંદીબામ લેકાઈ વિસ્તારમાં હતું. એક દિવસ પહેલા મણિપુર સરકારના મંત્રી નેમચા કિપગેનના ઘરે ઇમ્ફાલમાં આગ લાગી હતી.
વિદેશ મંત્રી રાજકુમાર રંજન સિંહે કહ્યું કે હું હાલમાં સત્તાવાર કામ માટે કેરળમાં છું. સદનસીબે ગઈકાલે રાત્રે મારા ઈમ્ફાલના ઘરે કોઈને ઈજા થઈ ન હતી. હુમલાખોરો પેટ્રોલ બોમ્બ લઈને આવ્યા હતા.મારા ઘરના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળને નુકસાન થયું છે. મારા ગૃહ રાજ્યમાં શું થઈ રહ્યું છે તે જોઈને ખૂબ જ દુઃખ થાય છે. હું હજુ પણ શાંતિ માટે અપીલ કરવાનું ચાલુ રાખીશ. આ પ્રકારની હિંસામાં સામેલ લોકો એકદમ અમાનવીય છે.
ગઈકાલ રાત્રે લગભગ 11 વાગ્યે અચાનક એક ભીડ આવી અને મંત્રી રંજન સિંહના આવાસમાં બળજબરીથી ઘૂસી ગઈ. તેમની મિલકતને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. ગેટ પર તૈનાત હાઉસ ગાર્ડ પણ ભીડને રોકી શક્યા ન હતા. ઘટના સમયે મંત્રી પોતે કે તેમનો પરિવાર ઘરમાં હાજર નહોતો.આ દરમિયાન હુમલો કરીને આગ ચાંપી દેવામાં આવી હતી.ઘટના સમયે મંત્રીના નિવાસસ્થાને સુરક્ષા એસ્કોર્ટના જવાનો, સુરક્ષાકર્મીઓ અને વધારાના ગાર્ડ ફરજ પર હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંત્રીના આવાસ પર હાજર એક સુરક્ષા ગાર્ડે જણાવ્યું કે હુમલા દરમિયાન ટોળા દ્વારા ચારે બાજુથી પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. ભીડ બહુ મોટી હતી એટલે કાબૂમાં ન આવી શકી. 3 મેથી અત્યાર સુધીની અથડામણમાં 100થી વધુ લોકો માર્યા ગયા છે.
આ પહેલા 25 મેના રોજ ટોળાએ કેન્દ્રીય મંત્રી પર હુમલો કર્યો હતો. ત્યારબાદ સુરક્ષા દળોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. ઈમ્ફાલ પૂર્વમાં કોંગપા નંદેઈ લીકાઈ ખાતે ભારે ભીડ એકઠી થઈ હતી. સુરક્ષા દળોએ તેમનો પીછો કર્યો. ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ એમ બંને જગ્યાએ પૂર્ણ-સમયનો કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. 4 દિવસ પછી એટલે કે 29 મેના રોજ ટોળાએ તોડફોડ કરી હતી. બિષ્ણુપુર અને ટેંગોપાલમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
હુમલાખોરોએ ઇમ્ફાલ પશ્ચિમમાં મણિપુરના મંત્રી નેમચા કિપજેનના સત્તાવાર નિવાસસ્થાનને આગ ચાંપી દીધી હતી. અહીં ખામેનલોક ગામમાં બદમાશોએ ઘણા ઘરોને સળગાવી દીધા. તામેંગલોંગ જિલ્લાના ગોબાજંગમાં અનેક લોકો ઘાયલ થયા છે. હિંસાગ્રસ્ત ઉત્તરપૂર્વીય રાજ્યમાં સ્થિતિ તંગ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા કર્મચારીઓ ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે.મણિપુરમાં મૈતી સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવાની માંગનો વિરોધ થઈ રહ્યો છે. પહાડી જિલ્લાઓમાં 3 મેના રોજ 'આદિવાસી એકતા માર્ચ'નું આયોજન કરવામાં આવ્યા બાદ અહીં અથડામણો શરૂ થઈ હતી. ગયા મહિને, આરકે રંજન સિંહે હિંસાગ્રસ્ત ઉત્તરપૂર્વીય રાજ્યમાં શાંતિ કેવી રીતે લાવવી તે અંગે ચર્ચા કરવા મણિપુરના મેઇતેઈ અને કુકી સમુદાયના લોકોના જૂથ સાથે બેઠક યોજી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતિરૂપતિથી એક લાખ લાડુ અયોધ્યા આવ્યા હતા
September 20, 2024 11:25 AMજામનગર જિલ્લાના સાંસદ દ્વારા મેગા સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પ
September 20, 2024 11:24 AMડીફોલ્ટર સભાસદને ૧ માસની જેલ-દંડ
September 20, 2024 11:21 AMગોકુલનગરમાં સિક્યુરિટી ગાર્ડના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો
September 20, 2024 11:19 AMસૌથી ખરાબ સેવાઓ...ભારતીય-અમેરિકન CEOએ એર ઈન્ડિયા પર લગાવ્યો આરોપ, જુઓ વીડિયો
September 20, 2024 11:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech