સોરઠ, વલસાડ, હનુમાન ગઢ, કચ્છ, સોસીયા(અલંગ) સહિતના વિસ્તારોમાં કેરીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને આ તમામ કેરીઓ વિશ્ર્વભરમાં પ્રખ્યાત છે અને એકસપોર્ટ પણ થાય છે ત્યારે જામનગર શહેરમાં જામનગર મહાનગરપાલિકા પરિસરમાં તથા ગુદ્વારા સર્કલ પ્રાઇવેટ બંગલામાં આંબાનુ વાવેતર કરવામાં આવેલ છે અને ઉકત તસ્વીરમાં બન્ને સ્થળોની આંબાની ડાળે ઝૂલતી કેરી જોવા મળી હતી જેને આજકાલના તસ્વીરકારે કેમેરામાં કેદ કરી હતી. હાલમાં જામનગરમાં કેસર કેરીનાં મણના ૧૨૦૦ થી ૨૦૦૦ પિયા ભાવ બોલાઇ રહ્યા છે. ફળોના રાજા કેરી દરેક વ્યકિતને ભાવતુ ફળ છે.