જામનગર મહાપાલિકા દ્વારા ટુંકાગાળામાં જ ચારથી પાંચ નવા પ્રોજેકટ શરૂકરવામાં આવી રહ્યા છે, આવતા અઠવાડીયાથી જામનગર શહેરની મઘ્યમાં આવેલા સાન સમા ટાઉનહોલને ફરીથી રિનોવેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેનું કામ પણ ટુંક સમયમાં શરૂ થઇ જશે. રૂ.૪ કરોડના ખર્ચે નવા બનનારા ટાઉનહોલમાં અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ થશે, એટલું જ નહીં આખા ટાઉનહોલમાં નવી પુસબેક ચેર મુકવામાં આવશે, આમ નગરજનોને વધુ એક નવલું નઝરાણું મળી રહેશે.
જામનગર શહેરમાં એકીસાથે અવનવા પ્રોજેકટ શ થઇ રહ્યા છે, ખુદ કોર્પોરેશનનું જનરલ બોર્ડનું બિલ્ડીંગ, ભુજીયો કોઠો, રિંગરોડ, ત્રણ દરવાજા રેસ્ટોરેશન અને હવે ટાઉનહોલને નવા વાઘા પહેરાવવાનું બીડુ કોર્પોરેશનના પદાધિકારીઓએ ઝડપ્યું છે, મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડીના માર્ગદર્શન હેઠળ ડીએમસી ભાવેશ જાની, પ્રોજેકટ પ્લાનીંગ શાખાના નાયબ ઇજનેર રાજીવ જાની સહિતની ટીમે હવે ટાઉનહોલને રિનોવેશન કરવા માટેની આખરી તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેમના જણાવ્યા મુજબ આવતા અઠવાડીયાથી જ આ કામ શરૂ થઇ જશે અને આઠેક મહીનામાં આ કામ પૂ થવાની શકયતા છે.
સ્ટે.કમિટીના ચેરમેન મનીષ કટારીયાએ આ કામ ઝડપથી શરૂ થાય તે માટે તનતોડ પ્રયત્ન કર્યા છે, કમિટીમાં પાસ થઇ ગયા બાદ હવે ટાઉનહોલ રિનોવેશનનું કામ હાથ ધરવામાં આવશે, એટલું જ નહીં આગામી સમયમાં તળાવની પાળે કે જયાં પહેલા બાલ્કનજી બારી વાળી જગ્યા તરીકે ઓળખાતી હતી તે જગ્યાએ અદ્યતન સાયન્સ સીટી પણ શરૂ કરવામાં આવશે.
જામનગરમાં શહેરની મઘ્યમાં આવેલા ટાઉનહોલમાં આવેલી તમામ ખુરશીઓ રિનોવેટ કરાશે, એટલું જ નહીં પ્રથમ બે હરોળની રો પુસબેક ચેર લગાવાશે, સ્ટેજનું પણ રિનોવેશન કરાશે અને સ્ટેજમાં આધુનિક લાઇટીંગ તેમજ સાઉન્ડ સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવશે. નવા પડદા, નવા બેર્ટનસ, ૧૨*૮ની એલઇડી સ્ક્રીન, અદ્યતન પ્રોજેકટર, ટુ વે વેબ કેમેરા, સેલર આર્ટ ગેલેરીમાં રિનોવેશન, સેન્ટ્રલ એર ક્ધડીસનર, પાર્કિંગ એરીયામાં પેવીંગ બ્લોક, એલઇડી લાઇટ પણ પાર્કિંગ એરિયામાં ગોઠવાશે.
આ ઉપરાંત ફુડ કોર્ટને પણ રિનોવેશન કરાશે, એલ્યુમીનીયમ સેકટરવાળી અદ્યતન બારીઓ મુકાશે, આખા ટાઉનહોલને નવા કલર કામ કરાશે, ઉપરાંત ગ્રીનરૂમ રિનોવેશન, ટોયલેટ બ્લોક, વીઆઇપી રૂમ રિનોવેશન અને અન્ય સિવીલ વર્ક પણ કરવામાં આવશે. પ્રોજેકટ પ્લાનીંગના વડા રાજીવ જાનીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે, આવતા અઠવાડીયાથી જ લોકો માટે ટાઉનહોલ બંધ કરી દેવામાં આવશે અને ટાઉનહોલનું રિનોવેશનનું કામ શરૂ થઇ જશે.
જામનગરમાં ભાજપનું શાસન આવ્યા બાદ અનેક વિકાસના કામો થયા છે, કેટલાક કામો નાણાના અભાવે અટકી પણ ગયા છે, હજુ હેડ કવાર્ટર પાસેનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ, મહાપ્રભુજીની બેઠક પાસેનો ટાગોર હોલ પણ ઝડપથી થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે, રાજકોટના હેમુ ગઢવી હોલની જેમ ટાઉનહોલ ફરીથી નવા વાઘા પહેરશે ત્યારે લોકોની સુવિધામાં વધારો થશે અને સ્ટેજ પ્રોગ્રામ કરતા કલાકારોને પણ વધુ અનુકુળતા રહેશે. ટાઉનહોલ ઝડપથી થાય તે માટે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા, મેયર બિનાબેન કોઠારી સહિતના પદાધિકારીઓ પણ જહેમત ઉઠાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ દેશમાં લગ્નની વિચિત્ર પરંપરા, દુલ્હન પર ફેંકવામાં આવે છે ઈંડા અને દૂધ
September 20, 2024 10:00 AMઆ રાશિના જાતકો સાવધાન, પિતૃદોશથી બચવા કરો આ ઉપાય, થઇ જશો માલામાલ
September 20, 2024 09:48 AMઈઝરાયેલી સેનાનું અમાનવીય કૃત્ય, મળદાઓને અગાસી પરથી ફેક્યાં, પેલેસ્ટાઈને કરી ટીકા
September 20, 2024 09:47 AMકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech