બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ ધરાવતા ડિરેક્ટર સંજય લીલા ભણશાલી હાલ ચર્ચામાં છે. તેની પ્રથમ શ્રેણી 'હીરામંડી' ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ માટે તૈયાર છે. આ સિરીઝમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ કામ કરી રહ્યા છે. મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા અને રિચા ચઢ્ઢા પણ આ સિરીઝનો મહત્વનો ભાગ છે. માનવામાં આવે છે કે, 'હીરામંડી' સિરીઝ બાદ સંજય લીલા ભણશાલી તેમની બહુઅપેક્ષિત ફિલ્મ 'ઇંશાઅલ્લાહ' માટે કામ શરૂ કરશે.
ત્યારે હાલ સંજય લીલા ભણશાલીના આગામી પ્રોજેક્ટની ચર્ચાએ જોર પકડયું છે. પહેલા એવા સમાચાર હતા કે સંજય લીલા ભણશાલી સલમાન ખાન અને આલીય ભટ્ટ સાથે ઇંશાઅલ્લાહનું શૂટિંગ શરૂ કરશે. પરંતુ પ્રાપ્ત થતા અહેવાલોનું માનીએ તો સંજય લીલા ભણશાલી સલમાન ખાન સાથે કામ કરવાના નથી. ફિલ્મની વાર્તાને લઈને સલમાન ખાન અને સંજય લીલા ભણશાલી વચ્ચે કેટલાક મતભેદો છે. આ સાથે જ સમાચાર છે કે ફિલ્મ 'ઇંશાઅલ્લાહ'માંથી સલમાન ખાનને રિપ્લેસ કરવામાં આવ્યો છે.
'ઇંશાલ્લાહ' સંજય લીલા ભણશાલીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. તેઓ આ ફિલ્મ બનાવવામાં કોઈ જ કસર છોડવા માંગતા નથી. સંજય લીલા ભણશાલી ફિલ્મની વાર્તા સાથે સમાધાન કરવા તૈયાર નથી. આથી, તેમણે હવે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે. સંજય લીલા ભણશાલી હવે આ ફિલ્મ સલમાન ખાનને બદલે શાહરૂખ ખાન સાથે બનાવશે તેવા પણ સમાચાર છે. એટલું જ નહીં ડિરેકટર સંજય લીલા ભણશાલીએ ફિલ્મની સ્ક્રીપ્ટ કિંગ ખાનને સંભળાવી છે. જે તેમને પસંદ પણ પડી છે. જોકે આ માટે હજુ કઇ ફાઇનલ થયું નથી. પણ આગામી સમયમાં બધુ બરાબર રહેશે તો કિંગ ખાન આ ફિલ્મ કરી શકે છે. ત્યારે સલમાન ખાનને શાહરૂખ ખાન રિપ્લેસ કરે તેવી ચર્ચાએ હાલ જોર પકડયું છે.
સંજય લીલા ભણશાલી 'હીરામંડી' સિરીઝથી ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. ત્યાર બાદ તેઓ બિગ બજેટ ફિલ્મ 'ઇંશાલ્લાહ'નું શૂટિંગ શરૂ કરશે. એટલે આગામી સમયમાં શાહરૂખ ખાન કે સલમાન ખાનમાંથી કોની સાથે ભણશાલી કામ કરે છે તે વાત પરથી પડદો ઉઠી જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યૂયોર્ક ટાઈમ્સે હુમલાને આતંકવાદીના બદલે ઉગ્રવાદ ગણાવતા યુએસ સરકારે ઠપકો આપ્યો
April 25, 2025 02:34 PMબાંદીપોરામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, બે થયા સૈનિકો ઘાયલ
April 25, 2025 02:27 PM3.5 કરોડના જીએસટી ક્રેડિટ કૌભાંડના વધુ બે આરોપીના જામીન સેશન્સ દ્વારા મંજુર
April 25, 2025 02:25 PMવીરડા વાજડીના કરોડોના પ્લોટના ઉતરોત્તર દસ્તાવેજો રદ કરવાનો વાદીનો દાવો ફગાવાયો
April 25, 2025 02:23 PMકાલે તમે મહાત્મા ગાંધીને અંગ્રેજોના નોકર કહેશોઃસુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ખખડાવ્યા
April 25, 2025 02:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech