બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ ધરાવતા ડિરેક્ટર સંજય લીલા ભણશાલી હાલ ચર્ચામાં છે. તેની પ્રથમ શ્રેણી 'હીરામંડી' ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ માટે તૈયાર છે. આ સિરીઝમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ કામ કરી રહ્યા છે. મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા અને રિચા ચઢ્ઢા પણ આ સિરીઝનો મહત્વનો ભાગ છે. માનવામાં આવે છે કે, 'હીરામંડી' સિરીઝ બાદ સંજય લીલા ભણશાલી તેમની બહુઅપેક્ષિત ફિલ્મ 'ઇંશાઅલ્લાહ' માટે કામ શરૂ કરશે.
ત્યારે હાલ સંજય લીલા ભણશાલીના આગામી પ્રોજેક્ટની ચર્ચાએ જોર પકડયું છે. પહેલા એવા સમાચાર હતા કે સંજય લીલા ભણશાલી સલમાન ખાન અને આલીય ભટ્ટ સાથે ઇંશાઅલ્લાહનું શૂટિંગ શરૂ કરશે. પરંતુ પ્રાપ્ત થતા અહેવાલોનું માનીએ તો સંજય લીલા ભણશાલી સલમાન ખાન સાથે કામ કરવાના નથી. ફિલ્મની વાર્તાને લઈને સલમાન ખાન અને સંજય લીલા ભણશાલી વચ્ચે કેટલાક મતભેદો છે. આ સાથે જ સમાચાર છે કે ફિલ્મ 'ઇંશાઅલ્લાહ'માંથી સલમાન ખાનને રિપ્લેસ કરવામાં આવ્યો છે.
'ઇંશાલ્લાહ' સંજય લીલા ભણશાલીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. તેઓ આ ફિલ્મ બનાવવામાં કોઈ જ કસર છોડવા માંગતા નથી. સંજય લીલા ભણશાલી ફિલ્મની વાર્તા સાથે સમાધાન કરવા તૈયાર નથી. આથી, તેમણે હવે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે. સંજય લીલા ભણશાલી હવે આ ફિલ્મ સલમાન ખાનને બદલે શાહરૂખ ખાન સાથે બનાવશે તેવા પણ સમાચાર છે. એટલું જ નહીં ડિરેકટર સંજય લીલા ભણશાલીએ ફિલ્મની સ્ક્રીપ્ટ કિંગ ખાનને સંભળાવી છે. જે તેમને પસંદ પણ પડી છે. જોકે આ માટે હજુ કઇ ફાઇનલ થયું નથી. પણ આગામી સમયમાં બધુ બરાબર રહેશે તો કિંગ ખાન આ ફિલ્મ કરી શકે છે. ત્યારે સલમાન ખાનને શાહરૂખ ખાન રિપ્લેસ કરે તેવી ચર્ચાએ હાલ જોર પકડયું છે.
સંજય લીલા ભણશાલી 'હીરામંડી' સિરીઝથી ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. ત્યાર બાદ તેઓ બિગ બજેટ ફિલ્મ 'ઇંશાલ્લાહ'નું શૂટિંગ શરૂ કરશે. એટલે આગામી સમયમાં શાહરૂખ ખાન કે સલમાન ખાનમાંથી કોની સાથે ભણશાલી કામ કરે છે તે વાત પરથી પડદો ઉઠી જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech