જામનગર: જી.જી. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ જીરાગઢની પરણિતા ગુમ
જોડીયાના જીરાગઢમાં રહેતી પરણિતાને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યાંથી રજા આપ્યા બાદ ગુમ થઇ છે જે અંગે પોલીસમાં જાણ કરવામાં આવી છે.
જોડીયા તાલુકાના જીરાગઢમાં ગામમાં રહેતા નુરીબેન નાસીરભાઇ સોઢા, ઉ.વ.૨૧નામની પરણિતાને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સારવાર બાદ રજા મળી જતા તેણી પોતાના ઘરે પરત આવેલ ન હોય, કોઇને કહ્યા વગર કયાંક ચાલ્યા ગયા હોય જેથી ગુમ થયા છે.
આ અંગે નાસીરભાઇ દ્વારા સીટી બી ડીવીઝનમાં જાણ કરવામાં આવી હતી, યુવતિ ગુમ થઇ જતા ચિંતાની લાગણી જન્મી છે. પોલીસ દ્વારા શોધખોળ આદરવામાં આવી છે.