BREAKING NEWS

ITRA જામનગરને મળ્યું દેહદાન, સ્વ. ધનલક્ષ્મીબહેન ચંદુલાલ રાણાએ અંતિમ ઇચ્છાનુસાર આયુર્વેદ સંશોધન માટે કર્યું દેહદાન

  • May 27, 2026 11:34 AM 

ITRA જામનગરને મળ્યું દેહદાન_
સ્વ. ધનલક્ષ્મીબહેન ચંદુલાલ રાણાએ અંતિમ ઇચ્છાનુસાર આયુર્વેદ સંશોધન માટે કર્યું દેહદાન

આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા એટલે કે આઈ.ટી.આર.એ.ને ગત રવિવાર ૨૪ મેના રોજ એમ પી શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમના સૌજન્યથી દિવંગતની અંતિમ ઇચ્છાનુસાર તેમના નિકટતમ સબંધી જયદીપ તથા તેજશ રાઠોડ(દોહિત્ર) રહે. આણદાબાવા ચકલો જામનગરની સંમતિથી સ્વ. ધનલક્ષ્મીબહેન ચંદુલાલ રાણાનું સદગતિ બાદ દેહદાન પ્રાપ્ત થયું છે. 

દેહદાન કારનારના આ પગલાંથી ભારતીય પરંપરાગત ચિકિત્સા પધ્ધતિ ‘આયુર્વેદ’ને અભ્યાસ અને સંશોધન માટે વધું પ્રોત્સાહન અને તક ઉપલબ્ધ થશે. ITRA ખાતે આયુર્વેદ ક્ષેત્રમાં કાર્યરત રચના શરીર વિભાગ છે જેમાં સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે ચિકિત્સક સંશોધન અને પ્રાયોગિક કાર્યો માટે સ્વ. ધનલક્ષ્મીબહેન ચંદુલાલ રાણા એ આપેલું મહાદાન મહામૂલું સાબિત થશે. 

ITRA જામનગરના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીની સૂચનાથી રચના શરીર વિભાગના વડા પ્રો. કલ્પના રાજે અને સ્ટાફ દ્વારા દિવંગતને દેહદાન માટે ભાવપૂર્વક નમન કરી અને શ્રધ્ધાંજલિ વ્યક્તિ કરવામાં આવી હતી અને આયુર્વેદ સંશોધન માટે આપવામાં આવેલું દેહદાન ખારાં અર્થમાં ઉપયુક્ત સાબિત થશે તેવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ભવિષ્યમાં પણ કોઈ વ્યક્તિ મૃત્યુ બાદ દેહદાનની ઈચ્છા ધરાવતા હોય તો ITRA જામનગર ખાતે રચના શરીર વિભાગમાં સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન અને માહિતી મેળવી શકે છે તેમજ આયુર્વેદ વિકાસમાં પોતાનું અનેરૂ યોગદાન આપી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application