પશ્ચિમ બંગાળના સંદેશખાલી કેસમાં સીબીઆઈએ 3 અલગ-અલગ એફઆઈઆર નોંધી છે. તેમાંથી 2 FIR અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ છે, જ્યારે 1 આરોપી અને TMC નેતા શેખ શાહજહાં વિરુદ્ધ નોંધવામાં આવી છે. સીબીઆઈએ 5 જાન્યુઆરી, 2024ના રોજ ઈડી અધિકારીઓ પર હુમલાના કેસમાં 3 અલગ-અલગ એફઆઈઆર નોંધી હતી.
હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈએ આ કેસ બંગાળ પોલીસ પાસેથી લઈ લીધો છે અને ત્રણેય એફઆઈઆર ફરીથી નોંધી છે. પશ્ચિમ બંગાળ પોલીસે કુલ 3 FIR નોંધી હતી. તેમાંથી 2 એફઆઈઆર EDના ડેપ્યુટી ડાયરેક્ટરની ફરિયાદ પર નોંધવામાં આવી હતી અને ત્રીજી FIR સંદેશખાલી નજીક નજાત પોલીસ સ્ટેશન દ્વારા સુમોટો વિરુદ્ધ નોંધવામાં આવી હતી. હવે આ ત્રણેય FIR ફરી CBI દ્વારા નોંધવામાં આવી છે.
જો કે, સીબીઆઈ 5 માર્ચ, 2024ના રોજ શાહજહાં શેખની કસ્ટડી અને કેસ ડાયરી લેવા ગઈ હતી, પરંતુ બંગાળ પોલીસે કેસ ડાયરી અને કસ્ટડી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો અને તેને CJI DY ચંદ્રચુડ પાસે જવા કહ્યું. દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શાહજહાં શેખને CBIને ન સોંપવા બદલ કોલકાતા હાઈકોર્ટમાં કોર્ટની અવમાનનાની અરજી દાખલ કરી હતી. બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટના પગલાને ટાંક્યો છે. ઇડીએ કહ્યું કે હાઇકોર્ટના આવા આદેશને રોકી શકાય નહીં. આ સીધુ અપમાન છે.
આ FIR એવા સમયે દાખલ કરવામાં આવી છે જ્યારે PM નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસ પર હતા. બારાસતમાં નારી શક્તિ વંદન કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું, "સંદેશખાલીમાં ઘોર પાપ કરવામાં આવ્યું છે. તૃણમૂલ કોંગ્રેસના શાસન દરમિયાન ત્યાં અત્યાચારો થયા છે." જ્યારે પીએમ મોદીએ આ વાતો કહી ત્યારે સંદેશખાલીના કેટલાક પીડિતો પણ ત્યાં હાજર હતા. આ કાર્યક્રમ બાદ પીએમ મોદી ત્યાં 5 પીડિતોને મળ્યા હતા. એવું કહેવાય છે કે તે દરમિયાન પીએમએ તેમની વાત ધ્યાનથી સાંભળી હતી. મહિલાઓ પણ પોતાના કડવા અનુભવો જણાવતા ભાવુક બની ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech