લોકસભાની ચુંટણી નજીક આવતી હોવાથી દરેક પક્ષના લોકો પ્રચાર કરવા લાગ્યા છે ત્યારે અમિત શાહ તમિલનાડુ પહોચ્યા હતા.જ્યાં તેમને પોતાના નિવેદનમાં એવું જણાવ્યું હતું કે PM મોદી પછી દેશના નવા વડાપ્રધાન તરીકે કોઈ તમીલ હોવો જોઈએ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 2024ની ચૂંટણી પહેલા મોટી દાવ રમી છે. દક્ષિણના રાજ્યોમાં સતત હાર બાદ અમિત શાહે તમિલ પીએમની વકીલાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર દક્ષિણ ચેન્નાઈમાં ભાજપના પદાધિકારીઓની બંધ બારણે બેઠકમાં અમિત શાહે કહ્યું કે, અમે તમિલનાડુના બે સંભવિત વડાપ્રધાન કામરાજ અને મૂપનારની તક ગુમાવી દીધી છે. તેમના વડાપ્રધાન ન બની શકવા માટે DMK જવાબદાર છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે ગરીબ પરિવારમાંથી એક તમિલ ભારતનો વડાપ્રધાન બનવો જોઈએ. પાર્ટીના સૂત્રોએ આ માહિતી આપી. 2024ની લોકસભા ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં તમિલનાડુના બે દિવસીય પ્રવાસ પર આવેલા અમિત શાહ ચેન્નાઈમાં પાર્ટીના કાર્યકર્તાઓની બંધ બારણે બેઠકને સંબોધિત કરી રહ્યા હતા.
ડીએમકે અને તેના દિવંગત વડા એમ. કરુણાનિધિ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે તમિલનાડુના વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ જેમ કે કે. કામરાજ અને જી.કે. મૂપનારમાં વડા પ્રધાન બનવાની સંભાવના હતી, પરંતુ કરુણાનિધિએ તેમની તકોને નિષ્ફળ બનાવી દીધી.
તમિલ વડા પ્રધાનની માંગને અમિત શાહ દ્વારા ડીએસકેને ઘેરી લેવાના પગલા તરીકે જોવામાં આવે છે, જેણે કહ્યું છે કે તે તમિલનાડુની તમામ 39 લોકસભા બેઠકો અને પુડુચેરીમાં એકમાત્ર જીતશે. શાહની 'તમિલ પ્રાઇમ મિનિસ્ટર' ટિપ્પણીને તમિલનાડુ સુધી ભાજપની પહોંચ માટે પૃષ્ઠભૂમિ સેટ કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે તિરુવદુથુરાઇ અધાનમનું સેંગોલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે નવી સંસદની ઇમારતની અંદર સ્થાપિત કર્યું હતું.
તમિલનાડુ પ્રવાસમાં તમિલ સ્વાભિમાનની બૂમો પાડ્યા બાદ અમિત શાહે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં જાહેરસભા યોજીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, "યુપીએ સરકારે તેના 10 વર્ષમાં 12 લાખ કરોડનું કૌભાંડ કર્યું હતું. અત્યાર સુધી મોદીજીની 9 વર્ષની સરકાર પર એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો. યુપીએ સરકાર દરમિયાન 'આલિયા, માલિયા જમાલિયા' ' પાકિસ્તાનથી અહીં ઘૂસીને બોમ્બ વિસ્ફોટ કરતા હતા. મનમોહન સરકારમાં તેમની સામે કંઈ કરવાની હિંમત નહોતી. આ નવ વર્ષમાં પીએમ મોદીની સરકારે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવાનું કામ કર્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખેતરમાં ખોદકામ કર્યું અને થઇ ગયો માલામાલ
September 20, 2024 10:05 AMખેતરમાં વધી ગયા હતા મચ્છર તો ખેડૂતે કર્યો જુગાડ, ભેંસને બાંધી મચ્છરદાનીમાં
September 20, 2024 10:02 AMઆ દેશમાં લગ્નની વિચિત્ર પરંપરા, દુલ્હન પર ફેંકવામાં આવે છે ઈંડા અને દૂધ
September 20, 2024 10:00 AMઆ રાશિના જાતકો સાવધાન, પિતૃદોશથી બચવા કરો આ ઉપાય, થઇ જશો માલામાલ
September 20, 2024 09:48 AMઈઝરાયેલી સેનાનું અમાનવીય કૃત્ય, મળદાઓને અગાસી પરથી ફેક્યાં, પેલેસ્ટાઈને કરી ટીકા
September 20, 2024 09:47 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech