BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરમાં સગપણ બાબતે બે પરિવાર વચ્ચે જૂથ અથડામણ

  • July 17, 2026 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરમાં સગપણ બાબતે બે પરિવાર વચ્ચે જૂથ અથડામણ

સામસામા પક્ષે મહિલા સહિત ૧૪ સામે ફરિયાદ

કલ્યાણપુરના કબીરનગર વિસ્તારમાં રહેતા અર્જુનભાઈ હીરાભાઈ રાઠોડ નામના ૨૫ વર્ષના ભરવાડ યુવાન સાથે છેલ્લા સાત-આઠ મહિનાથી સગપણ બાબતે ચાલી રહેલા મનદુ:ખ વચ્ચે ગઈકાલે ગુરુવારે આરોપી મંગરાભાઈ હાજાભાઈ ચાવડા, રાજાભાઈ હાજાભાઈ, માયા હાજાભાઈ, નાગજી માયાભાઈ, વિજય ગોવાભાઈ, ગોગન ધનાભાઈ, મચ્છા કુંભાભાઈ લાંબરીયા અને સાજીબેન મંગરાભાઈ ચાવડા નામના આઠ વ્યક્તિઓએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ફરિયાદી તથા સાહેદો પર લાકડાના ધોકા, ધારીયા વિગેરે વડે હુમલો કર્યો હતો.

આટલું જ નહીં, આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું અર્જુનભાઈ રાઠોડની ફરિયાદમાં જાહેર થયું છે.

સામા પક્ષે ગોગનભાઈ ધનાભાઈ ચાવડા (ઉ.વ. ૬૫, રહે વડત્રા, તા. ખંભાળિયા, હાલ કલ્યાણપુર) દ્વારા અર્જુન હીરાભાઈ રાઠોડ, નાગજી મચ્છાભાઈ રાઠોડ, દિનેશ મચ્છાભાઈ રાઠોડ ગોવિંદ નાથાભાઈ વેસરા (રહે. પાસ્તર), દિનેશ જીવાભાઈ વેસરા (રહે. રાજપરા) અને સામત લાલાભાઈ મકવાણા (રહે. ચંદ્રાવાડા) સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી ગોગનભાઈના કુટુંબીને આરોપી અર્જુનભાઈ સાથે છેલ્લા સાત-આઠ મહિનાથી સગપણ બાબતે મન દુ:ખ ચાલ્યું આવતું હતું. જે વચ્ચે આરોપીઓએ એકસંપ કરી, ગેરકાયદેસર રીતે મંડળી રચી, ધારીયા અને પથ્થર એવા મારક હથિયારો વડે હુમલો કરીને ફરિયાદી તથા સાહેદોને ઈજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
​​​​​​​
આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે બંને પક્ષે કુલ ૧૪ વ્યક્તિઓ સામે બી.એન.એસ. અને જી.પી. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એસ.કે. બારડ દ્વારા હાથ ધરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application