જામ ખંભાળીયામાં સરકારી જીલ્લા પુસ્તકાલયનું ભવ્ય લોકાર્પણ

  • April 21, 2023 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા અને હાસ્યકલાકાર-સમાજસેવક જગદીશ ત્રિવેદીની ખાસ ઉપસ્થિતિ


દેવભૂમિ દ્રારકા જીલ્લાના જામખંભાળીયામાં સરકારી જીલ્લા પુસ્તકાલયના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રંસંગે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે પુસ્તક પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. 


આ પ્રસંગે પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા અને જાણીતા હાસ્યકલાકાર-સમાજસેવક જગદીશ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ બન્ને મહાનુભાવો દ્રારા લાયબ્રેરીમાં અભ્યાસ કરીને સરકારી નોકરી પ્રાપ્ત કરેલા ત્રીસ વિદ્યાર્થીઓનું સન્માન પણ થયું હતું. 


ગુજરાત રાજ્ય ગ્રંથાલય બોર્ડના નિયામક પંકજભાઈ ગોસ્વામી અને મદદનીશ ગ્રંથાલય નિયામક મોઢ તેમજ સ્થાનિક લાયબ્રેરીના ગ્રંથપાલની ઉપસ્થિતિમાં આ લોકાર્પણ સંપન્ન થયું ત્યારે મોટી સંખ્યામાં નગરજનો અને પુસિતકપ્રેમીઓ હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application