વીમા પર જીએસટી ઘટાડવા અંગે સરકારની વિચારણા 

  • February 08, 2024 05:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પહેલાના સુધારાઓના કારણે પરિસ્થિતિ સુધારી છતાં ઇન્ડિયન ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ ડેન્સીટી ઓછી ; રીટેલ પોલીસી અને વરિષ્ઠ નાગરિકો માટેની માઈક્રો ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં ફેરફાર કરવાની ભલામણ 



ફાયનાન્સ સ્ટેન્ડિંગ કમિટીએ ભલામણ કરી છે કે વીમા ઉત્પાદનો, ખાસ કરીને આરોગ્ય અને ટર્મ ઈન્સ્યોરન્સ પર જીએસટી દર ઘટાડવાની જરૂર છે. હાલમાં વીમા પર જીએસટી દર ૧૮% છે. સંસદમાં રજૂ કરાયેલા તેના અહેવાલમાં જયંત સિન્હાની આગેવાની હેઠળની કમિટીએ જણાવ્યું હતું કે તેઓ માને છે કે જીએસટીના ઊંચા દરને કારણે પ્રીમિયમનું ભારણ વધે છે, જે વીમા પોલિસી લેવામાં અડચણરૂપ બને છે.

વીમાને વધુ સસ્તા બનાવવા માટે, કમિટીએ આરોગ્ય વીમા ઉત્પાદનો, ખાસ કરીને રીટેલ પોલીસી અને વરિષ્ઠ નાગરિકો માટે માઈક્રો ઇન્શ્યોરન્સ પૉલિસીઓ પર નીચા જીએસટી દરો દાખલ કરવાની ભલામણ કરી છે. ભારતમાં વીમા ઉદ્યોગે તાજેતરના વર્ષોમાં ગતિશીલ વૃદ્ધિ દર્શાવી હોવા છતાં, વર્તમાન સરકાર દ્વારા સ્થાપિત કરાયેલા સુધારા સાથે કુલ વીમા પ્રિમીયમમાં વધારો થયો છે, તેમ છતાં ભારતીય ઇન્શ્યોરન્સની પ્રોડક્ટ ડેન્સીટી હજુ પણ ઓછી છે.

૨૦૨૦માં વૈશ્વિક વીમા બજારમાં આશરે ૨% હિસ્સા સાથે, ઇન્ડિયન ઇન્શ્યોરન્સ સેક્ટરમાં હજુ પણ એડવાન્સડ ઈકોનોમીના ઇન્શ્યોરન્સ સેક્ટરની સરખામણીમાં લાંબી મજલ કાપવાની બાકી છે. સ્વિસ રીના ડેટા અનુસાર, ૨૦૨૧માં ૧.૮૫% માર્કેટ શેર  સાથે ગ્લોબલ ઇન્શ્યોરન્સ બીઝનેસમાં ભારત દસમા ક્રમે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application