ભાવનગરના ડમી કૌભાંડમાં તોડ મામલે ઘનશ્યામ લાઘવા અને બિપિન ત્રિવેદીની કરાઇ ધરપકડ

  • April 23, 2023 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગરના ડમી કૌભાંડમાં તોડ મામલે ઘનશ્યામ લાઘવા અને બિપિન ત્રિવેદીની કરાઇ ધરપકડ


ભાવનગરમાં ડમી કૌભાંડમાં તોડ કરવાના મામલે ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ મથકમાં એસ ઓ જી નાં પોલીસ ઇન્સ્પેકટર એસ બી ભરવાડે ફરિયાદી બની યુવરાજસિંહ બિપીન ત્રિવેદી ઘનશ્યામ લાઘવા કાનભા,શીવુભા અને રાજુ વિરુદ્ધ ખંડણી ઉઘરાવી લીધી હોવાની નોંધાવી હતી આ એફ આઈ આર મુજબ યુવરાજસિંહની ધરપકડ બાદ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.તદુપરાંત આ ગુન્હામાં સામેલ બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લઘવાની રાત્રી ના ૧.૧૦ કલાકે ધરપકડ કરી હોવાની સતાવાર જાહેરાત પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.


આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગરના ડમી કૌભાંડના ખંડણી લીધી હોવાની ફરિયાદ યુવરાજસિંહ સહિત છ શખ્સો વિરૂધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં એસ ઓ જી નાં પોલીસ ઇન્સ્પેકટર એસ બી ભરવાડે નોંધાવી હતી આ કેસમાં યુવરાજસિંહની ધરપકડ થઈ ચૂકી છે અને સાત દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે. તદુપરાંત આ ગુંહામાં સામેલ બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લઘવા એ કરાયેલા તોડમાં ૧૦ ટકા રૂપિયા લિધા હોય ગત મોડી રાત્રીના ૧.૧૦ કલાકે ઘનશ્યામ લાઘવા અને બિપિન ત્રિવેદીની પણ ધરપકડ કરવામાં આવી હતી.ઝડપાયેલા બંને શખ્સોની સ્પેશિયલ ઈનવેસ્ટિગેશન ટીમ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application