રાજકોટ ડિવિઝનમાં હવે દિવ્યાંગ લોકો ઘરે બેઠા બનાવી શકશે રેલ્વે કન્સેશન કાર્ડ
દિવ્યાંગ લોકો માટે ઓનલાઈન અરજી ની સુવિધા ટ્રેનોમાં મુસાફરી કરતા દિવ્યાંગ વ્યક્તિઓને રેલવે દ્વારા જારી કરાયેલા પાસના આધારે ટિકિટ પર છૂટ આપવામાં આવે છે. આ પાસ મેળવવા માટે દિવ્યાંગજનોને ડીઆરએમ ઓફિસમાં આવવું પડતું હતું, પરંતુ હવે દિવ્યાંગજનો ઘરે બેઠા પાસ મેળવી શકે તે માટે દિવ્યાંગજન કાર્ડ એપ શરૂ કરવામાં આવી છે. દિવ્યાંગોએ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવી પડશે, મુખ્યાલય (ડીઆરએમ ઓફિસ) આવવાની જરૂર નથી. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાએ માહિતી આપી હતી કે પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝનમાં દિવ્યાંગો માટે આ સુવિધા ઉપલબ્ધ થઈ ગયી છે.
ટ્રેનમાં મુસાફરી કરતા દિવ્યાંગો માટે આ રાહતના સમાચાર છે. ભારતીય રેલ્વેએ દિવ્યાંગો માટે કન્સેશન સર્ટિફિકેટ બનાવવા માટે એક પોર્ટલ તૈયાર કર્યું છે, જે દિવ્યાંગોને કન્સેશન સર્ટિફિકેટ મેળવવામાં મદદરૂપ થશે. આ કાર્ડ મેળવવા માટે, એપમાં જરૂરી વિગતો ભરો, જેમાં આઈડી પ્રૂફ, મોબાઈલ સાથે લિંક કરેલ આધાર કાર્ડ, સિવિલ સર્જન તરફથી અપંગતા પ્રમાણપત્ર, રહેણાંક પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર, હોસ્પિટલ દ્વારા જારી કરાયેલ રેલ્વે કન્સેશન પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટો, રેશન કાર્ડ કાર્ડની એક નકલ સબમિટ કરવાની રહેશે. ડીઆરએમ ઓફિસના અધિકારીઓ ફોર્મનું નિરીક્ષણ કરશે. દિવ્યાંગજન એપનો ઉપયોગ કરીને, વ્યક્તિ પોતાના મોબાઇલ પર ઇ-દિવ્યાંગજન કાર્ડ ડાઉનલોડ કરી શકશે. આ પોર્ટલની મદદથી, દિવ્યાંગ લોકો તેમના ઘરેથી કન્સેશનલ સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી કરી શકશે. હવે તેમને આ કામ માટે રેલવેના ડીઆરએમ ઓફિસ કાર્યાલયમાં આવવાની જરૂર રહેશે નહીં.
દિવ્યાંગજનોએ સૌપ્રથમ રેલવે વેબસાઇટ divyangjanid.indianrail.gov.in પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, રેલ્વે ટિકિટ રાહત નું પ્રમાણપત્ર ફક્ત ઓનલાઈન જ જારી કરશે. દિવ્યાંગ કાર્ડ માટે ઓનલાઇન અરજી કરવા માટે મેડિકલ કાર્ડની નકલ પણ અપલોડ કરવાની રહેશે. આ સિસ્ટમને સરળ બનાવવા માટે, દિવ્યાંગ લોકો ભારત સરકારના ઓનલાઈન પોર્ટલ www.swavlambancard.gov.in પર અરજી કરીને પણ તેમનું મેડિકલ કાર્ડ મેળવી શકે છે. અરજદારે તમામ દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત સોફ્ટ કોપી અપલોડ કરવાની રહેશે. કન્સેશન સર્ટિફિકેટ પર ઉલ્લેખિત ડૉક્ટરનું નામ, નોંધણી નંબર અને દિવ્યાંગતાની પ્રકૃતિ પણ લખવી જરૂરી રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech