નવા ભળેલા વિસ્તારોમાં દર ત્રણ દિવસે એક વખત પાણી મળતું, અમુક વિસ્તારોમાં ટેન્કર મોકલાતા
વર્ધમાન નગર, આસ્થા રેસિડેન્સી, રત્નમ, રેસકોર્સ બંગ્લોઝ, મહાદેવ પાર્ક, હર્ષદીપ પાર્ક, માતિ નંદન, અમી હાઇટસ, જૈનમ, અજમેરા, સુંદરમ, ફોચ્ર્યુન, શાંતિનગર, બ્રહ્મનાથ, પરશુરામ, કોળીવાસ, પટેલવાસ, સિંધોઇ નગર, વૃંદાવન સોસાયટી સહિતના વિસ્તારોના ૪૦૦૦ નળ કનેકશન ધારકોને દરરોજ ૨૦ મિનિટ પાણી મળશે
રાજકોટ મહાનગરપાલિકામાં ભળેલ વોર્ડ નં.૧માં આવેલ ઘંટેશ્વર, નાગેશ્વર તથા વોર્ડ નં.૩ના માધાપર આધારિત વિસ્તારોમાં ત્રણ દિવસે એકવાર પાણી વિતરણ કરવામાં આવતું તેના બદલે તા.૧૪ જુલાઇથી શ કરાયેલી ટ્રાયલ રનના અંતે હવે આજથી કાયમી ધોરણે દૈનિક ૨૦ મિનિટ પાણી આપવાનું શ કરાયું છે.
વિશેષમાં આ અંગે મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર આનદં પટેલ, વોટર વર્કસ કમિટી ચેરમેન દેવાંગભાઇ માંકડએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં.૧માં ઘંટેશ્વર, નાગેશ્વર તથા વોર્ડ નં.૩માં માધાપર આધારિત વિસ્તારોમાં ત્રણ દિવસે એકવાર પાણી વિતરણ કરવામાં આવતું. આ ઉપરાંત અમુક દુરના વિસ્તારોમાં ટેન્કર દ્રારા પણ પાણી વિતરણ કરવામાં આવતું. હૈયાત પાણી વિતરણની વ્યવસ્થામાં સુવ્યવસ્થિત આયોજન કરી આ વિસ્તારોને દૈનિક ૨૦ મિનિટ પાણી મળે તેવું આયોજન હાથ ધરાયેલ. જેના અનુસંધાને તા.૧૪થી આ તમામ વિસ્તારોને દૈનિક ૨૦ મિનિટ પીવાના પાણીનું વિતરણ શ કરવામાં આવેલ છે.
તદ્દઉપરાંત વોટર વર્કસ વેસ્ટ ઝોન અંતર્ગતના વોર્ડ નં.૧ આધારિત ઘંટેશ્વર સાઇડના વિસ્તારો જેમ કે વર્ધમાન નગર, આસ્થા રેસીડન્સી, રત્નમ, રેસકોર્સ બંગલો, મહાદેવ પાર્ક, હર્ષદીપ પાર્ક અને માતિનંદન તથા વોર્ડ નં.૩ આધારિત માધાપર ગામના વિસ્તારો જેમ કે, માધાપર ગામતળ, જુનો કોળીવાસ, પટેલવાસ, સિંધોઈનગર, અને વૃંદાવન સોસાયટી વિસ્તારમાં વિસ્તારમાં દર ત્રીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવતુ હતું. રાજકોટ શહેરની પાણી વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તેમજ શહેરના નગરજનોને કવોલીટી વોટર મળી રહે તે માટે તા.૧૪થી આ તમામ વિસ્તારોમાં દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ કરવામાં આવે છે.જેને લીધે રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ પરથી ભરવામાં આવતા અંદાજિત રોજના ૭૦ ટેન્કર બધં થયેલ છે.હાલ આ વિસ્તારોમાં દૈનિક ૩.૦ એમ.એલ જેટલા પાણીનું વિતરણ કરવામાં આવે છે. વોટર વર્કસ વેસ્ટ ઝોન અંતર્ગતના વોર્ડ નં.૧ આધારિત નાગેશ્વર સાઇડના વિસ્તારો જેમ કે સૈનિક સોસાયટી, અમી હાઈટસ, બ્રહમનાથ, પરશુરામ, જૈનમ, અજમેરા, સુંદરમ, ફોરચ્યુન, શાંતિનગર વિસ્તારમાં દર ત્રીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવતુ હતું જે તા.૨૭થી આ તમામ વિસ્તારોમાં દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ કરવામાં આવે છે.
હાલ આ વિસ્તારોમાં દૈનિક ૧.૫ એમ.એલ જેટલા પાણીનું વિતરણ કરવામાં આવે છે.જેના કારણે આ માધાપર તથા ઘંટેશ્વર વિસ્તારના ૩૫૦૦ જેટલા હયાત નળ કનેકશન તથા નવા ઇસ્યુ કરવામાં આવેલ ૫૦૦ નળ કનેકશન એમ કુલ ૪૦૦૦ નળ કનેકશન ધારકોને ફાયદો થયેલ છે.આ ઉપરાંત બાકી રહેતા વિસ્તારોમાં પણ આગામી સમયમાં દૈનિક પાણી વિતરણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ અભિનેતાએ તેની કેરિયર માટેની છેલ્લી ફિલ્મ માટે વસૂલી આટલી ફી, શાહરૂખ ખાનને પણ છોડી દીધો પાછળ
September 20, 2024 01:58 PMપાકિસ્તાનમાં રક્ષક બન્યો ભક્ષક : પોલીસે ડોક્ટરને ઉતાર્યો મોતને ઘાટ
September 20, 2024 01:48 PMસુપ્રીમની હાઇકોર્ટના જજને ફટકાર, બેંગ્લોરના મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન ગણાવતા માંગ્યો જવાબ
September 20, 2024 01:42 PMચેટજીપીટીએ માણસની જેમ સામેથી પ્રશ્ન પૂછતા યુઝર થયો આશ્ચર્યચકિત
September 20, 2024 01:17 PMમહિલા મૂવી જોતી રહી અને ડોકટરોએ કરી મગજની સર્જરી
September 20, 2024 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech