દેશમાં કોરોનાના નવા કેસો ફરી એકવાર ચિંતાનો વિષય બન્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાના નવા સબ-વેરિયન્ટ JN 1ના અત્યાર સુધીમાં ૨૧ કેસની પુષ્ટિ થઈ છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે જેએન ૧ના નવા કેસમાંથી ૧૯ કેસ ગોવામાં નોંધાયા છે જ્યારે કેરળ અને મહારાષ્ટ્રમાં એક-એક કેસ નોંધાયો છે. નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડૉ. વીકે પૉલે જણાવ્યું હતું કે, મંગળવારે કોરોનાના ૫૦૦ કેસ નોંધાયા હતા. છેલ્લા બે સપ્તાહમાં કોવિડને કારણે ૧૬ લોકોના મોત થયા છે. આ લોકોને પહેલાથી જ ઘણી ગંભીર બીમારીઓ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "દેશમાં કોરોનાના ૨૩૦૦ સક્રિય કેસમાંથી, સબ-વેરિયન્ટ JN 1ના ૨૧ કેસ છે." સબ-વેરિયન્ટ JN 1નો પહેલો કેસ ઓગસ્ટ મહિનામાં લક્ઝમબર્ગમાં આવ્યો હતો. ધીરે ધીરે તે ૩૬ થી ૪૦ દેશોમાં ફેલાઈ ગયો.
ક્યાં કેટલા કેસ નોંધાયા?
છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં કોરોનાના ૨૯૨, તમિલનાડુમાં ૧૩, મહારાષ્ટ્રમાં ૧૧, કર્ણાટકમાં ૯, તેલંગાણા અને પુડુચેરીમાં ૪ કેસ નોંધાયા છે. દિલ્હી અને ગુજરાતમાં ૩ અને પંજાબ તેમજ ગોવામાં ૧ કેસ નોંધાયો છે. નોંધનીય છે કે દિલ્હીમાં નવા વેરિયન્ટનો એક કેસ નોંધાયો છે. હાલ દેશમાં કોરોનાના ૨૬૬૯ એક્ટિવ કેસની સંખ્યા છે. જેમાંથી ૨૦૪૧ કેસ કેરળમાંથી નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬ લોકોના મોત થયા છે.
આ તરફ એનસીઆરના ગાઝિયાબાદને સંવેદનશીલ ગણીને, આરોગ્ય વિભાગે કોરોનાના નવા વેરીયન્ટ, JN 1ને અટકાવવા સંબંધિત ૧૮ મુદ્દાઓ અંગે માર્ગદર્શિકા જારી કરી છે. દરમિયાન, શાસ્ત્રી નગરના મહેન્દ્ર એન્ક્લેવમાં રહેતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના કાઉન્સિલર પાર્ટી વ્હીપ અને વોર્ડ નં ૪૭ના કાઉન્સિલર અમિત ત્યાગી બુધવારે કોરોના સંક્રમિત થયા હતા. કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી ગાઝિયાબાદની હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ બમણું કરાયું છે. આ સાથે જ એડમિનિસ્ટ્રેશન પણ એલર્ટ થયું છે. જો કે, સરકારી અને ખાનગી હોસ્પિટલોની ઓપીડીમાં શારીરિક અંતર જાળવવા સાથે માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, પરંતુ આ આદેશ અને સૂચનાઓની અસર ક્યાંય જોવા મળતી નથી.
મહત્વનું છે કે ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલોની ઓપીડીમાં માસ્ક પહેરવાનું શરૂ કરવામાં આવ્યું નથી. બુધવારે સંજયનગર સ્થિત જોઈન્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ એમએમજી હોસ્પિટલ અને મહિલા હોસ્પિટલની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે, માત્ર દર્દીઓ જ નહીં પરંતુ ડોક્ટર્સ અને હેલ્થ વર્કર પણ કોવિડ પ્રોટોકોલથી દૂર હતા. એટલું જ નહી પ્રિસ્ક્રિપ્શન લેવા માટે કાઉન્ટર પર દર્દીઓની લાંબી કતારો લાગી રહી છે. અહીં, બાળકોને ખોળામાં લઈને મહિલાઓ કલાકો સુધી સ્લિપ લેવા માટે ઊભી રહી હતી. સંયુક્ત હોસ્પિટલમાં ઉધરસ, તાવ અને શ્વાસના દર્દીઓના કોરોના ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવ્યા નથી. જિલ્લા એમએમજી હોસ્પિટલમાં કોરોનાની તપાસ શરૂ કરવામાં આવી છે. પણ ફિવર ક્લિનિક્સ અને કોરોના હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી નથી.
કોરોના ટેસ્ટિંગ બમણું થયું
બુધવારે જિલ્લા એમએમજી હોસ્પિટલમાં ૧૦૮ લોકોના સેમ્પલ કોરોના ટેસ્ટિંગ માટે આરટીપીસીઆર લેબમાં મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધી દરરોજ ૪૦ થી ૫૦ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા હતા. ચેપ ફેલાતા ડોકટરોએ ખાસી, શરદી, તાવ અને શ્વાસ સંબંધી રોગોથી પીડિત દર્દીઓની તપાસ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMગરમ અને ઉકળાટ વાળા વાતાવરણમાં પણ આ નાનકડા છોડ ઘરને રાખે છે ઠંડુ અને ફ્રેશ
July 05, 2024 11:21 PMભારતીય ક્રિકેટર્સ માટે ઝાડ પર ચડેલા ફેનને જોઈ સૌ કોઈ ચોકયા, ખેલાડીઓએ શખ્સને આપી સલાહ
July 05, 2024 11:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech