ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં થયેલા માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલાઓ પ્રતિ સંવેદના દર્શાવતા મોરારીબાપુ

  • April 16, 2023 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ગઈકાલે ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જીલ્લાના અજમતપુર નજીક એક ટ્રેક્ટરની ટ્રોલી પુલ પરથી નીચે ખાબકતા બે મહિલા સહિત ૧૧ લોકોના ઘટના સ્થળ ઉપર મૃત્યુ થયા હતા. આ સિવાય મહારાષ્ટ્રમાં મુંબઈ પુના હાઈવે પર રાયગઢમાં કલાકારોની એક બસ મુખ્ય માર્ગ પર થી ૩૦૦ ફૂટ નીચે ખીણમાં ખાબકતા ૧૩ લોકોના મોત થયા હતા. 


ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની આ બંને ઘટનાઓમાં માર્યા ગયેલા લોકો પ્રતિ મોરારીબાપુએ એમની સંવેદના વ્યક્ત કરી છે અને પ્રત્યેક મૃતકના પરિજન ને રુપિયા ૧૧ -૧૧ હજારની સહાયતા રાશિ પ્રેષિત કરેલ છે. આમ બંને ઘટનાઓ માં માર્યા ગયેલાઓને મોરારિબાપુ તરફથી કુલ મળીને રુપિયા બે લાખ ત્રેપન હજારની સહાય અર્પણ કરવામાં આવી છે. મુંબઈ અને લખનૌ સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવા માં આવી રહી છે. 


મોરારીબાપુએ આ બંને ઘટનાઓમાં માર્યા ગયેલા લોકો તરફ સંવેદના વ્યક્ત કરી એમના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરેલ છે તેમજ તેમના પરિજનોને દિલસોજી પાઠવેલ છે. તેમ મહુવાથી જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application