ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બની ચુકેલા સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ભાવનગરના ડમી કાંડ મામલે યુવરાજસિંહ જાડેજા અને સાળા કાનભા ગોહિલની ધરપકડ બાદ પોલીસને મોટી સફળતા મળી છે. ભાવનગર પોલીસે કાનભા ગોહિલના મિત્રના ઘરેથી 38 લાખ રૂપિયા કબજે કર્યાં છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સામે લાવેલ ડમી કાંડમાં હવે તેની પોતાની જ ધરપકડ થઇ છે, ડમી કાંડમાં તોડ કરવા બદલ પહેલા ભાવનગર પોલીસ દ્વારા તેણે સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરતું પ્રથમા સમન્સ પર બીમાર હોવાના બહાને યુવરાજસિંહ હાજર થયા ન હતા અને 10 દિવસનો સમય માંગ્યો હતો જેના પર જ ભાવનગર પોલીસે 2 દિવસનો સમય આપ્યો હતો. આ બાદ બીજા સમન્સમાં હાજર થયા બાદ યુવરાજસિંહની ધરપકડ થઇ હતી. જે બાદ તેમના સાળા કાનભા ગોહિલ અને અન્યની ધરપકડ થઇ હતી.
ત્યારે આજે ફરીવાર ડમી ઉમેદવાર કૌભાંડમાં યુવરાજસિંહના તોડ કાંડ મોટો ખુલાસો થયો છે. યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલના નજીકના મિત્રના ઘરે થી જ પોલીસને 38 લાખ રૂપિયા મળ્યા છે. ત્યારે બીજી તરફ આપ અને કોંગ્રેસ તથા હવે કરણીસેના પણ યુવરાજસિંહના સમર્થનમાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોડીનારના યુવાનને શના સીન સપાટા કરવા ભારે પડ્યા
July 08, 2024 03:43 PMPM મોદીના રશિયા પહોંચતા પહેલા જ રશિયન સેનાએ યુક્રેનના 5 શહેરો પર 40થી વધુ મિસાઈલો છોડી
July 08, 2024 03:42 PMકોરા કલોધીનની દેશભરમાં પ્રચલિત બ્રાન્ડેડ શોરૂમનો રાજકોટમાં શુભારંભ
July 08, 2024 03:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech