હોન્ડુરાસ પહોંચવા માટે તેમણે 'ડોનકર્સ'નો લીધો હતો સહારો, નિકારાગુઆ-હોન્ડુરાસ બોર્ડર પર, તેમના પર ગોળીબાર પણ થયો હોવાના અહેવાલ
ફ્રાન્સે માનવ તસ્કરીની આશંકાથી ૯૬ ગુજરાતીઓ સહિત ૩૦૩ ભારતીયોને લઈ જતી ફ્લાઈટને વેટ્રી એરપોર્ટ પર ગ્રાઉન્ડ કરી તેના બે દિવસ પહેલા જ દુબઈ-નિકારાગુઆની ૨૦૦ મુસાફરોને લઈ જતી ફ્લાઈટ જર્મનીના એરપોર્ટ પર રોકાઈ હતી. તેમાંથી ૬૦ જેટલા ગુજરાતીઓ હતા.
એક સૂત્રએ જણાવ્યું હતું કે “વેટ્રીની ઘટનામાં સામેલ એજન્ટોએ જ ૧૦-૧૨ કલાક માટે ચાર્ટરની વ્યવસ્થા કરી હતી જે જર્મનીના એરપોર્ટ પર રોકાઈ હતી. યુ.એસ. પહોંચવા માંગતા લોકો પહેલા દુબઈમાં ઉતર્યા જ્યાંથી તેઓ નિકારાગુઆની ફ્લાઈટમાં સવાર થયા. આ ફ્લાઈટ જર્મનીના એક નાના એરપોર્ટ પર રોકાઈ ગઈ હતી કારણ કે માનવ દાણચોરોએ કાયદાકીય કાર્યવાહીના ડરથી મોટા એરપોર્ટ પર જવાનું ટાળ્યું હતું. તેમની ફ્લાઇટ નિકારાગુઆ માટે ઉપડ્યા તેના ૧૦-૧૨ કલાક પહેલા મુસાફરોએ લાઉન્જમાં આરામ પણ કર્યો હતો. ફ્લાયર્સ મુખ્યત્વે કલોલ, મહેસાણા, આણંદ અને અમદાવાદના હતા. નિકારાગુઆમાં ઉતર્યા બાદ હોન્ડુરાસ પહોંચવા માટે તેમણે 'ડોનકર્સ'નો સહારો લીધો હતો. સ્થાનિક ભાષામાં, 'ડોનકર્સ'એ ઓપરેટર્સ છે જે લોકોને ગેરકાયદેસર યુ.એસ.માં પ્રવેશવામાં મદદ કરે છે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "નિકારાગુઆ-હોન્ડુરાસ બોર્ડર પર, આ ગેરકાયદેસર વસાહતીઓએ ગોળીબારનો સામનો પણ કરવો પડ્યો હતો, હવે તે કોઈ સ્થાનિક સુરક્ષા દળો અથવા ગેંગના સભ્યોએ કયો તે અંગે કોઈ પુષ્ટિ કરાઈ નથી. પછી તેઓ ગ્વાટેમાલા ગયા જ્યાં તેઓ બે દિવસ રોકાયા જે પછી બે બસો મેક્સિકો પાર કરવા માટે બુક કરાવવામાં આવી હતી.” આ ઘટનાક્રમથી વાકેફ અન્ય એક સ્થાનિક સ્ત્રોતે જણાવ્યું હતું કે આમાંના કેટલાક ગેરકાયદેસર વસાહતીઓ મેક્સિકોમાં રોકાયા હતા જ્યારે કેટલાક એવા હોઈ શકે છે જેઓ યુ.એસ. જવા ઈચ્છતા હતા.”
૨૧ ડિસેમ્બરના રોજ, ફ્રાન્સે ૩૦૩ મુસાફરો સાથે નિકારાગુઆ જતી ફ્લાઇટને ટિપ ઑફ પછી ગ્રાઉન્ડ કરી દીધી હતી. ૨૪ ડિસેમ્બરના રોજ વેટ્રી એરપોર્ટ પર સ્થપાયેલી અદાલતે મુસાફરોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો અને ફ્લાઇટને મુંબઈ માટે ઉપડવાની મંજૂરી આપી હતી. તેમાંથી માત્ર ૨૭૬ જ મુંબઈમાં ઉતર્યા હતા. અગાઉના અહેવાલ મુજબ ૩૦ ગુજરાતીઓનું એક જૂથ જેઓ દુબઈથી નિકારાગુઆ જતી બીજી ફ્લાઈટમાં સવાર હતા તેઓને વેટ્રીની ઘટના બાદ ભારત પરત જવું પડ્યું હતું. તેઓ નિકારાગુઆ પહોંચ્યા પછી યુ.એસ.માં જવાના હતા પરંતુ કાનૂની કાર્યવાહીના ડરથી તેમની યોજનાઓ નિષ્ફળ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા શહેરમાં અલગ-અલગ વિસ્તારમા વિજતાર સળગવાની ઘટનાથી નાસભાગ
May 31, 2025 04:03 PMઅમરગઢમાં બે ભાઈઓના પરિવારના મહિલા સહિત છ શખ્સો વચ્ચે મારામારી
May 31, 2025 03:56 PMશહેરમાં સતત ત્રીજા દિવસે કોરોના સક્રિય : વિદ્યાનગરના વૃદ્ધ થયા સંક્રમિત
May 31, 2025 03:54 PMપિતાને ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા પુત્રએ યુવાનને છરીના ઘા ઝીં ક્યાં
May 31, 2025 03:51 PMજિ પંચાયતની ટાણા બેઠકના કોંગ્રેસના સદસ્યના પોલીસ પુત્રએ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
May 31, 2025 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech