પરણીતાના આત્મહત્યા કેસમાં સાસુ, સસરા, નણંદના જામીન મંજુર

  • February 11, 2023 06:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ કેસની હકીકત એવી છે કે, જામનગર ખાતે વસવાટ કરતા ભાનુશાળી સુનીલભાઇ અને જાનગર ખાતે વસવાટ કરતા વિમેશભાઇ નંદાના પુત્ર ચિરાગ સાથે થયેલા, અને લગ્નબાદ પરણીતા સપના તેમના પતિ, સાસુ સસરા અને નણંદ સાથે વસવાટ કરતા હતા, લગ્નબાદ ચાર માસ સુધી સારી રીતે લગ્ન જીવન ચીરાગભાઇ દારૂ પીને મારકુટ કરતા હતા, આ દરમ્યાન તા.૪-૧-૨૦૨૩ના રોજ પરણીતાએ આત્મહત્યા કરેલ.


ત્યારબાદ જાનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સપનાબેનના માતા નીતાબેને આ બાબતની વિગતવાર પતિ, સાસુ, સસરા અને નણંદ સામે આત્મહત્યા કરવા મજબુર કર્યાની ફરીયાદ આપેલ, જેમાં પોલીસ દ્વારા આરોપીઓની અટક કરવામાં આવેલ અને ત્યારબાદ જેલ હવાલે કરવામાં આવેલ હતા, જેમાં સસરા વિમેશભાઇ રમેશભાઇ નંદાએ અદાલતમાં જામીન અરજી દાખલ કરીઆરોપીના એડવોકેટની વિસ્તુત દલીલો કરવામાં આવેલ આમ, તમામ દલીલો ઘ્યાને લઇ અને આરોપી તરફે થયેલ રજુઆતો અને દલીલો માન્ય ગણી અને આરોપી સસરાને અદાલતે જામીન મુકત કરેલ. આ કેસમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, તથા નિતેષ મુછડીયા રોકાયેલા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application