અંધાશ્રમ આવાસ પાસે મસાલો માંગાવના મામલે યુવાનની હત્યાની કોશિષ

  • February 08, 2023 11:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંધાશ્રમ આવાસ બ્લોક નં. ૮૨, રૂમ નં. ૧૦માં રહેતા અને ડ્રાઇવર જીતુભા વકતાજી જાડેજા (ઉ.વ.૨૭)ના ઘરથી નજીકમાં ચોકમાં રાજભાની પાન-મસાલાની કેબીને મસાલો ખાવા માટે જતા કેબીન બંધ હતી અને ત્યાં મુકેશ થાપલીયા ઉભો ઉભો મસાલો બનાવતો હતો, જેથી જીતુભાએ તેની પાસે મસાલો માંગ્યો હતો.


દરમ્યાન આરોપીએ ઉશ્કેરાઇને ફરીયાદી પર પાઇપ, છરી, તલવાર વડે તથા અજાણ્યા શખ્સે જીવલેણ હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ગંભીર ઇજા પહોચાડી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જીતુભા દ્વારા સીટી-સીમાં મુકેશ વિજય થાપલીયા અને અજાણ્યા ૩ શખ્સ (રે. ખોડીયાર કોલોની) સામે આઇપીસી ૩૦૭, ૩૨૫, ૩૨૩ વિગેરે મુજબ ફરીયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application