નવાગામ-ઘેડમાં યુવાન પર તલવાર વડે હુમલો

  • February 21, 2023 06:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેર અને જામજોધપુરમાં મારામારીના બે બનાવ બન્યા છે. જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક યુવાન પર જૂની અદાવત ના કારણે બે ભાઈઓએ તલવાર વડે હુમલો કર્યાની ફરિયાદ થઈ છે, જ્યારે જામજોધપુરના ખેડૂત યુવાન પર હુમલો કરવા આવેલા ચાર શખ્સો સામે ફરીયાદ થઇ છે.


 જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તાર રહેતા કિરણ કારાભાઈ વાઘેલા નામના ૩૭ વર્ષના યુવાને પોતાના ઉપર જૂની અદાવતના કારણે માથામાં તલવાર વડે હુમલો કરવા અંગે તે જ વિસ્તારમાં રહેતા જગદીશ ખીમજી વાઘેલા અને તેના ભાઈ કેસુ ખીમજી વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે.


 ફરિયાદી યુવાનને માથામાં તલવાર વાગી હોવાથી ૧૨ ટાંકા લેવા પડ્યા છે, અને હેમરાજ સહિતની ઈજા થઈ છે. ઉપરાંત છરીના છરકાની પણ ઈજા કરી ધમકી દીધી હતી, ફરિયાદી અને આરોપી વચ્ચે ત્રણ વર્ષ અગાઉ તકરાર થઈ હતી, જેનું મન દુ:ખ રાખીને હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે સીટી બી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે. ફરીયાદી ગઇકાલે ભીમવાસના ઢાળીયા સામે પોતાના મિત્રના દિકરાને સ્કુલબસમાં મુકવા માટે ઉભા હતા ત્યારે આરોપીઓએ રીક્ષામાં આવીને હુમલો કર્યો હતો.


 આ ઉપરાંત મારામારીનો બીજો બનાવ જામજોધપુર પંથકમાં બન્યો હતો. જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતાં પુનિત કિર્તીભાઈ સુતરીયા નામના ૩૫ વર્ષના ખેડૂત યુવાન પર ટ્રેક્ટર ચલાવવાના પ્રશ્ને મનીષભાઈ કોડીયાતર, કારો રબારી, કાનો રબારી, અને પબો રબારી સહિતના ચાર શખ્સોએ કુહાડી-લાકડી વડે હુમલો કરવા ઘસી આવ્યા હતા, ફરીયાદી વાડીમાં ટ્રેકટર ચલાવતા હતા ત્યારે આરોપીઓ આવીને તને વાડીમાં આવવાની ના કહી છે તેમ કહી ઝઘડો કરી જીવતો મુકવો નથી તેવા શબ્દો ઉચ્ચારી મારવા દોડયા હતા અને બુમ બરાડા પાડતા આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application