જામનગરના અધિક કલેકટરની રમતગમત સાંસ્કૃતિક મંત્રીના અંગત સચિવ તરીકે નિમણુંક
જામનગરના અધિક કલેકટરની રમતગમત સાંસ્કૃતિક મંત્રીના અંગત સચિવ તરીકે નિમણુંક
December 06, 2025 01:37 PM
જામનગરના અધિક કલેકટરની રમતગમત સાંસ્કૃતિક મંત્રીના અંગત સચિવ તરીકે નિમણુંક
જામનગરમાં સુંદર કામગીરી બજાવનાર અધિક કલેકટર ભાવેશ ખેરને સરકારે એક નવું પદ આપ્યું છે, ગઇકાલે કેટલાક મંત્રીઓના અંગત સચીવની નિમણુંક કરતા ઓર્ડર નિકળ્યા હતાં જેમાં અધિક કલેકટર ભાવેશ ખેરને રાજયના રમતગમત યુવક સાંસ્કૃતીક સેવાના મંત્રી જયરામભાઇ ગામીતના અંગત સચીવ તરીકે નિમણુંક આપવામાં આવી છે. એકાદ વિકમાં તેઓ આ નવો ચાર્જ સંભાળી લેશે. જો કે જામનગરમાં નવા અધિક કલેકટર તરીકે હજુ સુધી કોઇની નિમણુંક થઇ નથી, આગામી દિવસોમાં કેટલાક કમિશ્નર અને અધિક કલેકટર કક્ષાના અધિકારીઓના નિમણુંકના ઓર્ડર નિકળશે તેમ માનવામાં આવે છે.