જામનગરમાં વધુ એક પ્રોહી બુટલેગર પાસાના પાંજરે

  • April 28, 2023 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પ્રોહી બુટલેગર્સ અને અસામાજીક તત્વો સામે પાસાની દરખાસ્તો તૈયાર કરવામાં આવી રહી છે, તાજેતરમાં ત્રણ શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કરાયા હતા, દરમ્યાનમાં જામનગરના વધુ એક પ્રોહી બુટલેગર સામે પાસાનું શસ્ત્ર જીલ્લા પોલીસવડાએ ઉગામ્યું છે. એલસીબીએ અટકાયત કરીને શખ્સ્ને અમદાવાદ જેલમાં મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.
​​​​​​​
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ પ્રોહી-બુટલેગર્સ તથા અસામાજીક ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, જેથી જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામાંથી પ્રોહી-બુટલેગર્સ તથા અસામાજીક પ્રવૃતી આચરનાર ઇસમો ઉપર પાસા દરખાસ્ત તૈયાર કરવા સુચના આપી હતી.જે મુજબ એલસીબી  પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ એલસીબી પીએસઆઇ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના શરદભાઇ પરમાર, હીરેનભાઇ વરણવાએ અસામાજીક પ્રવૃતી કરતા ઇસમો વિરુઘ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટએ વોરન્ટ ઇસ્યુ કરતા જે વોરન્ટની બજવણી કરી પાર્થ ઉર્ફે જાંબલી જીતેન્દ્ર કટીયારા રહે. દિ.પ્લોટ-૬૧, આશાપુરા મંદિર પાસે, જામનગરવાળાને અટકમાં લઇ અમદાવાદ જેલમાં મોકલી આપવા તજવીજ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application