આજથી અમરનાથ યાત્રાના થયા શ્રી ગણેશ... J&Kના લેફ્ટનન્ટ ગવર્નરે આપી લીલીઝંડી

  • June 30, 2023 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજથી અમરનાથ યાત્રા શરુ થઇ છે.ત્યારે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ લીલી ઝંડી આપી છે.ભક્તોને ભક્તિમાં તલ્લીન જોઈને અદ્ભુત દ્રશ્ય સર્જાઈ રહ્યું હતું. ભક્તો ઢોલના તાલે ગાતા અને નાચતા બાબા બર્ફાનીના દર્શન કરવા જતા હતા. આ દરમિયાન સરકાર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.


દેશભરમાં આરાધ્ય બાબા બર્ફાનીના દર્શન કરનારા ભક્તોની રાહ પૂરી થઈ ગઈ છે. આજે અમરનાથ યાત્રીઓનો પહેલી બેચ જમ્મુથી બાબા બર્ફાનીની પવિત્ર ગુફા માટે રવાના થઇ હતી. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર અને અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિંહાએ પ્રથમ બેચને ફ્લેગ ઓફ કરી.આ પહેલા મનોજ સિંહાએ બાબા બર્ફાનીની પૂજા કરી હતી. આ દરમિયાન સમગ્ર ઘાટી બમ-બમ ભોલેના જયઘોષથી ગુંજી ઉઠી હતી. તમામ ભક્તોએ બાબા અમરથના મંત્રોચ્ચાર કરીને પોતાની યાત્રા શરૂ કરી હતી.


બાબા બર્ફાનીના દર્શન કરવા જનારા ભક્તોમાં પુરૂષો કરતાં મહિલાઓની સંખ્યા વધુ છે. ભક્તોને ભક્તિમાં તલ્લીન જોઈને દર્શનીય હતા. ભક્તો ઢોલના તાલે ગાતા અને નાચતા બાબા બર્ફાનીના દર્શન કરવા જતા હતા. આ દરમિયાન સરકાર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અમરનાથ યાત્રાના દરેક માર્ગ પર સુરક્ષા દળો તૈનાત છે. આ સાથે ભક્તોની સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ માટે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. વહીવટી તંત્રએ દવાથી લઈને ઓક્સિજન સુધીની તમામ વ્યવસ્થા કરી છે.


આપણાથી થોડે દૂર એક પર્વત પણ છે જેને અમરનાથ એટલે કે બર્ફાની બાબાની ખીણ કહેવામાં આવે છે. સૂર્યના પ્રથમ કિરણો સાથે ભારતીય સશસ્ત્ર દળો આ સમગ્ર વિસ્તારની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. જેલમ નદી પાર કર્યા બાદ અમરનાથ યાત્રા ઔપચારિક રીતે શરૂ થાય છે. જ્યાં ખાનગી વાહનોના આગમન પહેલા બ્રિજ અને આસપાસના વિસ્તારને મેટલ ડિટેક્ટર અને સ્નિફર ડોગ સ્કવોડ દ્વારા સુરક્ષિત બનાવવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application