એરઇન્ડિયા નું વિમાન આજે પણ ગ્રાઉન્ડેડ: સાંજે ટેકનિકલ ટીમ આવશે

  • April 15, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત સાંજે દિલ્હી માટે ફલાઈટ ઉડાન ભરે તે પૂર્વે ટેકનીકલ ફોલ્ટ આવતા ફલાઇટ કેન્સલ કરાઈ



રાજકોટના એરપોર્ટ પરથી દિલ્હી ઉડાન ભરે તે પહેલા જ એર ઇન્ડિયાની ફ્લાઈટમાં ટેકનીકલ ખામી આવતા ગઈકાલે સાંજે આ ફ્લાઈટને ગ્રાઉન્ડ કરી દેવામાં આવી હતી. દિલ્હી માટેની ફ્લાઈટ કેન્સલ થતા પેસેન્જર અને ખાસ કરીને જેમને દિલ્હીથી ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી હતી તેમના માટે મુશ્કેલી ઉભી થઈ હતી જ્યારે બાકીના પેસેન્જર્સને એર ઇન્ડિયા દ્વારા હોટલમાં વ્યવસ્થા કરી દેવામાં આવી હતી.



હજુ આજે બપોર સુધી ગ્રાઉન્ડ થયેલી આ ફ્લાઈટ રીપેર થઈ નથી. જેના માટે ટેકનિકલ ટીમ આજે બપોરે ઈન્ડીગોની ફ્લાઈટમાં મશીનરી લઈને આવશે ત્યારબાદ જે ટેકનિકલ ફોલ્ટ છે તેને દૂર કરવા માટે કામગીરી હાથ ધરાશે, આથી આજની સાંજની ફ્લાઈટ પણ કેન્સલ કરવામાં આવી હોવાનું એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું.


દિલ્હી અને મુંબઈ માટે રાજકોટ થી ટ્રાફિક વધતા એર ઇન્ડિયા દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી સપ્તાહમાં નીઓ એરક્રાફ્ટ ઓપરેટ કરાશે. આ ઉપરાંત 20 તારીખથી સવારની મુંબઈ માટેની ફ્લાઈટ એર ઇન્ડિયા શરૂ કરશે અને આગામી તારીખ 24 થી ઈન્ડિગો દ્વારા પણ સવારની મુંબઈ માટેની ફ્લાઈટ શરૂ થવા જઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application