નવાગામ ઘેડમાં મકાનમાં અકસ્માતે આગ ભભૂકી

  • March 11, 2023 12:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેણાંક મકાનમાં વહેલી સવારે અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. અને મકાનની અંદરની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ હતી. ફાયરબ્રિગેડે સમયસર પહોંચી જઈ આગને બુજાવી હતી.


જામનગરમાં નવાગામ ઘેડ દલિતવાસ વિસ્તારમાં રહેતા રામજીભાઈ સોંદરવા નામના રહેવાસીના રહેણાક મકાનમાં આજે વહેલી સવારે અકસ્માતે આગ લાગી હતી, અને ઘરમાં રહેલા કપડા ગાદલા ગોદડા ઇલેક્ટ્રીક વાયરીંગ વગેરે સળગી ઊઠયા હતા.


 આગના આ બનાવની જાણ થતાં ફાયર શાખાની ટુકડી તુરતજ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. પરંતુ તે પહેલાં આગ કારણે તમામ ઘરવખરી બળીને ખાખ થઈ હતી. જેના કારણે અંદાજે બે લાખનું નુકશાન થયાનું જાણવા મળેલ છે, સીટી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application