વડિયાના ગ્રામિણ વિસ્તારમાં જંગલી હિંસક પ્રાણીઓ દ્વારા વછેરાનું મારણ કરતા ભયનો માહોલ

  • January 17, 2023 05:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાના ગ્રામીણ વિસ્તાર મોરવાડા અને આસપાસના રેવન્યુ વિસ્તારમાં છેલ્લા થોડા દિવસથી જંગલી હિંસક પશુઓ આવ્યાના સમાચાર વાયુવેગે ફેલાતા જોવા મળી રહ્યા છે. ત્યારે મોરવાડા ગામમાં એક ખેડૂતની ઘોડીના વછેરાનું મારણ કર્યાનું જોવા મળતા આ સમગ્ર વિસ્તારમાં સિંહનું ટોળુ હોવાનું સાંભળવા મળી રહ્યું છે. જોકે ભૂતકાળમાં પણ અહીં સિંહ વસાટ કરતા જોવા મળ્યા હતાં. ત્યારે હાલ મોરવાડ ગામે વછેરીનું મારણ થતાં હાલ સમગ્ર વિસ્તારમાં ખેતી સાથે જોડાયેલા લોકો પોતાના ખેતરમાં કામકાજ કરવા કે પિયત માટે જવા ડર અનુભવી રહ્યા છે. ત્યારે જંગલી પશુના મારણથી સમગ્ર વિસ્તારના ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાતો જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરી જે પણ જંગલી પશુઓ હોય તેને પકડવાની તજવીજ હાથ ધરવા લોક માગણી જોવા મળી રહી છે. તો બીજી બાજુ આ જંગલી પશુની પજવણી ના થાય તે માટે પણ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા જ‚રી કાર્યવાહી કરવી જ‚રી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application