અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાના ગ્રામીણ વિસ્તાર મોરવાડા અને આસપાસના રેવન્યુ વિસ્તારમાં છેલ્લા થોડા દિવસથી જંગલી હિંસક પશુઓ આવ્યાના સમાચાર વાયુવેગે ફેલાતા જોવા મળી રહ્યા છે. ત્યારે મોરવાડા ગામમાં એક ખેડૂતની ઘોડીના વછેરાનું મારણ કર્યાનું જોવા મળતા આ સમગ્ર વિસ્તારમાં સિંહનું ટોળુ હોવાનું સાંભળવા મળી રહ્યું છે. જોકે ભૂતકાળમાં પણ અહીં સિંહ વસાટ કરતા જોવા મળ્યા હતાં. ત્યારે હાલ મોરવાડ ગામે વછેરીનું મારણ થતાં હાલ સમગ્ર વિસ્તારમાં ખેતી સાથે જોડાયેલા લોકો પોતાના ખેતરમાં કામકાજ કરવા કે પિયત માટે જવા ડર અનુભવી રહ્યા છે. ત્યારે જંગલી પશુના મારણથી સમગ્ર વિસ્તારના ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાતો જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરી જે પણ જંગલી પશુઓ હોય તેને પકડવાની તજવીજ હાથ ધરવા લોક માગણી જોવા મળી રહી છે. તો બીજી બાજુ આ જંગલી પશુની પજવણી ના થાય તે માટે પણ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા જરી કાર્યવાહી કરવી જરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંટવાના બોગસ લૂંટ મામલે 1.92 કરોડનો મુદ્દામાલ સોની વેપારીને સુપરત
September 20, 2024 12:25 PMદ્વારકા નજીક પૂરઝડપે જતી કારની હડફેટે ભેંસનું મૃત્યુ
September 20, 2024 12:24 PMમૂર્તિઓની ફેંકાફેંકી કરી વિસર્જન આ કેટલા અંશે વ્યાજબી?
September 20, 2024 12:23 PMજૈન મહિલાઓ સંચાલિત ગૃહઉદ્યોગ-વ્યવસાય-વેપારનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ
September 20, 2024 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech